SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ સાથેની ગોઠડીને માણીએ ચિંતન પણ સ્રાવનોમાં ઊતરી આવ્યું છે. સ્થાપનાનિર્લેપ અર્થાત્ મૂર્તિના સંદર્ભમાં કવિ જાશે સ્વાનુભવસિદ્ધ ઉદ્દગાર કાઢે છે : “નામિઈ શિક હવા વિશેષ જાકા જે દેખિ ચોખઉ જિનભાવ આણઉં.'' - ૧૭૪૯ તેના જ અનુસંધાનમાં ચોવીસમા મહાવીર સ્વામીના વનમાં દૃઢતાપૂર્વક જે પ્રતિપાદન કવિ કરે છે તે અસરકારક છે. શ્રી ભગવતીજી સૂત્રના પ્રારંઙે ‘નમો બંભીએ લિવિએ' પદ છે, તેને પણ અહીં સંભાર્યું છે. આ સ્તવનમાં બોલચાલની ભાષામાં થયેલું નિરૂપણ સુંદર લાગે છે : “મા, મા, એમ ન ભાખિયઈ જી, એ અસમંજસ વાર્ષિ; પ્રતિમા નહુ ઉથાપિયઇ જી, એ મતિ સાચી જાણિ’' - ૨૪/૫ વિચારશીલ સાધકને પોતાના સમસામયિક મત-પંથના સંદર્ભે વિધાન કરવું જ પડે છે; એવા પ્રસંગે તેઓ કરસાહિએ અંગુલિનિર્દેશ કરવો જ પસંદ કરે છે. સાહિત્યની ષ્ટિએ જોઈએ તો આ સ્તવનોમાં ઉપમા આદિ અલંકારો, યમક, પ્રાસ આદિ ભાષાકીય શણગાર સુંદર રીતે પ્રયોજાયા છે. રચનામાં પ્રૌઢતા છે. શ્રી સંભવનાથ ભગવાનના વનનો ઉપાડ કેટલો સહજસુંદર છે : "મંગલવલ્લિ વિતાન ધન, શ્રી સંવ જિનરાય'' શ્રી અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં પહેલી અને બીજી કર્દીમાં, મુક્તિફળ મેળવવા લાખ યોજનનું શરીર કરીએ તો પણ તે ન મળે અને પ્રભુના ચરણે જે નીચા નમે તેને તે તરત જ મળે એ કેવો મજાનો વિરોધાલંકાર દર્શાવ્યો છે ! તેરમા વનમાં એક પ્રાકૃત સુભાષિતની છાયા સરસ રીતે ઝીલાઈ છે ઃ “સરસ દૂધ સતંદુલ સ્પર્ધા નિી, કલકલઈ જિમ ખીર રસાઉલી; સઘણ કુન્નુસ મિશ્રિત રાખડી, તાબડ ના કાંઈ નિઈ ચડી ?'' -૧૩/૮ Jain Education International પ્રાકૃતમાં સુભાષિત આ પ્રમાણે છે : जई बहुल दुध्यथचला उच्छल धवलतंडुला श्रीरा ता किं कलकुक्करिया, रवडिआ नो तव्व ॥२॥ બાવીસમા સ્તવનમાં શ્રી નેમિનાથ ભગવાનના સમ્યક્ત્વ પામવાના પ્રસંગને - ‘“તિહાં સાધુનઉ શુદ્ધ આચાર દેખી, લી દસ કુમતની મતિ ઉવેખી. આમ એક પંક્તિના ઇશારે રજૂ કર્યો છે. અન્યત્ર ગુજરાતી પઘમાં આ વાત આવી હોય એવું સ્મરણ નથી. પ્રસંગ યાદગાર છે. ‘ત્રિષષ્ટિ'માં પર્વ આઠમામાં આવે છે. ૧૧ . ધન અને ધનવતીનો એ પહેલો ભવ છે. ગ્રીષ્મના ભર તાપના દિવસો છે. ઉકળાટ કેટાળીને કંપની ઉપવનમાં શીતળ તામંડપમાં વિશ્રામ કરી રહ્યાં છે. ત્યાં ધનવતી ભરબપોરે ધોમ તાપમાં રસ્તા ઉપર એક મુનિને મૂર્છાવશ થઈને પડતા જુએ છે, ધનને કહે છે અને ધન તુર્ત દોડીને શીતોપચાર કરે છે, મુનિ સ્વસ્થ બને છે. ધન મુનિને પૂછે છે : ‘‘આવી અવસ્થા કેમ થઈ ? આપના પગમાંથી લોહી નીકળે છે, સખત તાપ લાગ્યો છે અને આપને મૂર્છા આવી ગઈ.' મુનિ કહે છે કે આ કષ્ટ તો ભાવિમાં લાભ કરનારું છે માટે મને તે પીડાદાયક નથી, પણ આ જન્મ-મરણની પીડા મને મોટી લાગે છે. આ સાંભળી ધનને આશ્ચર્ય થયું. ધને મુનિની સેવા કરી, આ નિમિત્તે તેને ત્યાં સય્યદર્શનની પ્રાપ્તિ થઈ. ત્રિષ, પર્વ ૮, સર્ગ ૧, શ્લોક ૧૧૧થી ૧૨૪) આ પ્રસંગનો ઉલ્લેખ સ્તવનમાં બે લીટીમાં થયો છે. આમ, પ્રસ્તુત સ્તવનોની વિષયપસંદગી નાવીન્યપૂર્ણ છે. ચર્ચિતચર્વજ્ઞ અહીં નથી એ નોંધવું જોઈએ. પ્રભુભક્તિ એ ખારા સંસારની મીઠી વીરડી છે. આ સ્તવનોને નિરાંતે માણતાં આવો જ અનુભવ થશે એ નિઃશંક છે. For Private & Personal Use Only કર્તાએ આ સ્તવનોમાં દેશી ઓછી અને છંદ વધુ વાપર્યા છે. બે-ત્રજ્ઞ દેશી, બાકી ઉપજાતિ, ભુજંગપ્રયાત (ભુજંગી), ધ્રુવિલંબિત અને ચોપાઈનો પ્રયોગ થયો છે. સત્તરમા-અઢારમા સૈકાથી ગુજરાતી સ્તવન-સાહિત્યમાંથી વૃત્તો (છંદો) નીકળી ગયાં. આ રચનાઓ તે પહેલાંની છે, તેથી નોંધપાત્ર છે. www.jainelibrary.org
SR No.012036
Book TitleYatindrasuri Diksha Shatabdi Samrak Granth
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1997
Total Pages1228
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy