SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ Iro d sedosos de desta case sto se desasto dedo de desta destestestostecedodeseste de se destacoste estado dadosado de dedos dedo desde dostede આપી. આમ સંવેગી પક્ષે સાધુ-સાધ્વી માટે એમણે માગ ખુલ્લે કર્યો. તેમણે શુન્યમાંથી સૃષ્ટિ ખડી કરી દીધી. તેમના શુભ હસ્તે લગભગ એક સે પંદર દીક્ષાઓ થઈ. કચ્છ અને હાલારમાં વિચારીને તેમણે કરછ – હાલાર દેશદ્વારક'નું બિરુદ સાર્થક કર્યું. તેમની નિશ્રામાં પાલીતાણું, ભદ્રધર, અબડાસા, પંચતીથી તેમ જ મેડપુર, ભલસાણ આદિના સંઘે નીકળ્યા. એમની પુનિત નિશ્રામાં ઘણાં જિનમંદિરની પ્રતિષ્ઠા થઈ. અનેક ગ્રંથને ઉદ્ધાર થયે. અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયા અને પૂર્વાચાર્યોના હસ્તલિખિત ગ્રંથના ભંડારો વ્યવસ્થિત થયા. વૃદ્ધાવસ્થામાં પાલીતાણામાં સ્થિરવાસ કરવાની ઈચ્છા હતી, પણ સુથરી સંઘના આગ્રહથી સુથરીમાં સં. ૨૦૦૩ નું ચાતુમસ કર્યું અને ત્યાં જ સ્થિર થયા. સંઘાડાની જવાબદારી ઉપાધ્યાય શ્રી ગુણસાગરજીને સેંપી. સં. ૨૦૦૬ નું ચાતુર્માસ ગોધરામાં અને સં, ૨૦૦૮ નું ભેજયમાં કર્યું. ત્યાંથી રામાણીઆ (કચ્છ)ના જિનાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે હાજર રહ્યા. અહીં સંઘેએ મળી તેમને અચલગચ્છાધિપતિ તરીકે જાહેર કર્યા. પછી તેઓ ભૂજ પધાર્યા. સં. ૨૦૦૯ ના વૈશાખ સુદી ૧૩ ની પાછલી રાતે શુભ ધ્યાયપૂર્વક ભૂજ મધ્ય દેવગતિ પામ્યા. આમ ૭૦ વર્ષનું દીર્ઘ સંયમી જીવન ગાળી નેવું વર્ષનું આયુ ભોગવી કચ્છ – હાલાર દેશદ્વારક પૂજ્ય દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે સંઘ અને સંઘાડાને ભાર પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી મ. સા.ને સપી આખરી વિદાય લીધી. અચલગચ્છને શ્રી ચતુર્વિધ સંઘ તેમના આ આત્મ સમર્પણને કદી નહિ વિસરે. આચાર્યશ્રી ગુણસાગરસૂરિ : કચ્છ દેઢિયાના શા. લાલજી દેવશીનાં ભાર્યા ધનબાઈની કુખે સં. ૧૯૬૯ માં ગાંગજી નામના પુત્રને જન્મ થયે. સં. ૧૯૩ માં દીક્ષા, સં. ૧૯૯૪ માં જામનગરમાં વડી દીક્ષા, સં. ૧૯૮માં મેરાઉમાં ઉપાધ્યાય પદવી અને સં. ૨૦૧૨ માં મુંબઈમાં આચાર્ય પદવી. તીવ્ર યાદદાસ્ત તેમ જ શીધ્ર ગ્રહણશક્તિના કારણે બાળપણમાં જ સંસ્કૃતને અભ્યાસ કર્યો તથા સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન કર્યું. છ કર્મગ્રંથ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય વગેરેને અભ્યાસ પૂર્ણ કરી સંસ્કૃત કાવ્યમય કે અને ગ્રંથ લખ્યા. વકતૃત્વ શક્તિ પણ અસરકારક છે. “શ્રી પર્વકથા સંગ્રહ ‘શ્રીપાલ ચરિત્ર.” તથા “કલ્યાણસાગરસૂરિ ચરિત્ર” સંસ્કૃતમાં રચ્યાં છે. નવપદ આદિ પૂજાઓ રચી સ્તવન – ચૈત્યવંદન સ્તુતિઓની વીસીઓ તથા અન્ય અનેક સ્તવન ઉપરાંત ચઢાળીઆઓની રચના કરી છે. સં. ૧૯૩ માં કયાા ગોતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy