SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનાગમ લખાણુ-વિચાર – શ્રાદ્ધવર્ય શ્રી પ્રભુલાલ બેચરદાસ પારેખ શાસન તાહરું અતિ ભલું, જગ નહીં કેઈ તસ સરખું રે, તિમતિમ રાગ ઘણે વાધે, જિમજિમ જુગતિ શું પરખું રે.” ૧. પંચમ કાળમાં આત્માને પૌગલિક ભાવના રસમાંથી બચાવીને આધ્યાત્મિક ભાવમાં જોડનાર સર્વશ્રેષ્ઠ આલંબન બે જ છે : જિનપ્રતિમા અને જિનાગમ. ૨. આત્માથી, ભવભીરુ, તત્વદર્શી આત્માઓ શ્રી જિનેશ્વરદેવના બિંબમાં સાક્ષાત પરમાત્માને નિહાળે છે. શ્રી જિનદર્શનને આત્મદર્શનનું પરમ સાધન માને છે. પ્રભુશાસનના રસિયા છે સંસારની કોઈ પણ વસ્તુ જેવાથી જે આનંદ પામે તેના કરતાં ઘણું વધારે આનંદ શ્રી જિનમંદિરને જોવાથી પામે છે. ૩. જિનપ્રતિમા એ સંસારસાગરમાંથી તરવાના સાધનમાં સર્વથી પહેલું અને સર્વથી ઊંચું આલંબન છે. એવું જેઓના હૃદયમાં નિશ્ચિત થઈ ગયું હોય, તે આત્માઓ જિનમંદિર અને પ્રભુ પ્રતિમા માટે સર્વ કાંઈ કરી છૂટવાની તૈયારી કેળવે છે. ૪. આત્માર્થી આત્માઓને બીજા આલંબન તરીકે શ્રી જિનાગમ છે. મહાપુરુષે લખી ગયા છે કે, “વિષમ પંચમકાળમાં શ્રી જિનાગમ ન હોય, તે અનાથે એવા અમારું શું થાત ?” તત્ત્વજ્ઞાની પુરુષનાં આ વચન તદ્દન સાચાં છે. સર્વ દેશમાં અને સર્વ કાળમાં શ્રી જિનાગમ સર્વોત્તમ અજોડ સાહિત્ય છે. પ. આવા પરમ પવિત્ર સર્વ શ્રેષ્ઠ આગમ સાહિત્યને લખવામાં, લખાવવામાં, સાચવવામાં બહુમાન કરવામાં શરીર, બુદ્ધિ અને ધન વગેરે જે કાંઈને વ્યય થાય તે અત્યંત લાભદાયક છે. ૬. શ્રી અરિહંતદેવના મુખથી નીકળેલ, ગણધર ભગવંતોએ ગૂંથેલ, ગીતાર્થ મહાપુરુષએ ભણી, ભણાવી, લખી, લખાવી પંચમકાળના જીના ઉપકાર માટે સાચવી રાખેલ શ્રી જિનાગમ વર્તમાનમાં પીસ્તાલીસ આગમ રૂપે જગતમાં જયવંતુ વતે છે. આ ગ્રી આર્ય કયાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy