SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ પુનર્લગ્નની કુપ્રથા અને શીલની મહત્તા શીલની (Celibacy ) કીમત નહિ સમજનારા કેટલાક ધર્મથી તદ્દન અનભિજ્ઞ આત્માઓ તરફથી વિધવા વિવાહ (Widow marriage) ના પ્રચાર માટે કરવામાં આવતી હિલચાલ ખરેખર સ્ત્રીઓના શીલશૃંગારને ભસ્મીભૂત કરવામાં અંગારનું આચરણ કરી રહી છે, એમ કહીએ તે તેમાં કશું ખોટું નથી. ઉપરોક્ત પ્રવૃત્તિમાં વિધવા બહેનોની નિરાધાર સ્થિતિ, પતિવિહેણું જીવન, સગાંસંબંધી તરફથી થતે તિરસ્કાર, માંગલિક પ્રસંગે તેમનો કરવામાં આવતા બહિષ્કાર, વિષયવાસના તૃપ્ત કરવાના સાધનનો વિરહ આદિ દુઃખેથી તેમની થઈ રહેલી કરુણ હાલતનો ખ્યાલ કરી, તેમના પર દયા લાવી, તે દુઃખોમાંથી મુક્ત કરવા પૂરતા તેમને આશય છે, એમ તેઓ જણાવે છે. આશય શુદ્ધ હોવા છતાં, તેનું પરિણામ ભયંકર હોય છે. કારણ કે, ઉપર ટપકે દેખાતી દયાની કાર્યવાહીમાં સ્કૂલ બુદ્ધિના કારણે હિંસા પણ થઈ જવાનો ભય રહેલો હોય છે, જ્યારે બહારથી દેખાતી નિર્દયતા ભરી ચેષ્ટામાં કોઈ વખત સાચી દયા પણ સમાયેલી હોય છે. જેમ હાથમાં ખુલ્લું ચપ્પ લઈને રમતા પોતાના બાળકને નિહાળતી માતા ઝટ તેના હાથમાંથી તે ચપુ ઝુંટવી લે છે, અને તેમ કરવાથી બાળક પોતાના જાતિસ્વભાવ પ્રમાણે બેફાટ રૂદન કરે છે, ગાળે પણ દે છે અને ખાતા પણ નથી. જે બાળકના અલ્પકાલીન રૂદનથી થતા દુઃખનો ખ્યાલ કરી, જે માતા તેના હાથમાંથી ચપુ ખેંચી લેતી નથી, તે દયાના વાસ્તવિક સિદ્ધાંતને ધ્યાન ન આપતાં, ભવિષ્યમાં થતા નુકસાનનો વિચાર કરી, સીધે નહિ માને તે એક થપ્પડ લગાવીને પુત્રના હાથમાંથી ચપુને ઝુંટવી લેનારી માતા વાસ્તવિક દયાળુ કહી શકાય છે. તે જ મુજબ વિધવા બહેનની અપકાલીન, પરિમિત અને વિષયસુખની વાસના પૂરી કરવા પૂરતી કાપનિક દયા ખાનારાઓ, પુનર્જન કરવાની સલાડ આપી, તેમને રી) શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy