SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ નોર તું..... ...........televiselevi leisje-st s sessoclessed belovestoboos ••••••••••••Methose sel.T૮૯ી તેણે સુંદર શુકનો જોયાં. ચાર પક્ષીઓને તેરણના આકારમાં બેઠેલાં જોયાં, દેવચકલીને સુંદર અવાજ કરતી જોઈ અને તેને મનમાં થયું કે, “ચાલે, જ્યાં જઈશું, ત્યાં કંઈક ધન મળશે જ.” અને તેથી મનના ઉલ્લાસથી તેણે પ્રયાણ આગળ વધાર્યું. ચાલતાં ચાલતાં તે માલાસણ ગામમાં આવ્યું. ત્યાં ગામમાં પ્રવેશ કરતાં પણ શુભ શુકન થયા. તેને મનમાં આનંદ વ્યાખ્યું અને તેથી સર્વ પ્રથમ જિનાલયમાં જઈ ત્રિલેકેશ્વર ભગવાન જિબેંકના ભાવપૂર્વક દર્શન કર્યા. ગામમાં ભાડાના મકાનની તપાસ કરી અને ચેખાવટી પાડામાં એક નાનકડું ઘર ભાડે લીધું અને દુઃખના દિવસે ધીમે ધીમે પસાર કરવા લાગ્યો. તે ધર્મશીલ હતો. પરંતુ માનવીને કરેલાં કર્મો છેડતા નથી, એ ન્યાયે પૂર્વકૃત કર્મના યોગે તેન લંપટપણું હતું. રાસકાર લખે છે : “દહિલા દહાડા તે નિગમ, લંપટપણું મન સાથે રમે.” આમ છતાંય મનમાં ધર્મની વાસના હતી. ધર્મ વિના સુખ નથી, એ તેના ચિત્તમાં અંકાયેલું હતું, એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ધર્મકૃત્ય કરવા તરફ તેને ઝોક વિશેષ હતો. એક વખતની વાત છે. પાટણથી વિહાર કરતાં કરતાં આચાર્ય હરિભદ્રસૂરિ માલાસણ ગામમાં પધાર્યા. ગુરુ જ્ઞાની હતા, સમર્થ ઉપદેશક હતા. આસરાજને હરિભદ્રસૂરિના પરિ. ચયથી ધર્મને રંગ વધુ લાગ્યો અને તેણે પૌષધ, પ્રતિકમણ, ગુરુ પાસે અભ્યાસ, નવ તત્ત્વનું જ્ઞાન વગેરે મેળવવા પ્રયત્ન શરૂ કર્યો. આસરાજ ભલે દરિદ્ર હતું, પણ તે વિનયવંત, ચતુર અને ગુરુનો ભક્ત હતો. એક દિવસ તેણે રાત્રિના પિૌષધ લીધું હતું અને આજની રાત તેણે શક્ય તેટલા અપ્રમાદમાં ગાળવાનો નિર્ણય કર્યો હતે. પ્રાણી જે જિનેશ્વર ભગવંતની આજ્ઞાને સમજતો હોય, તો રાત્રિ પૌષધ એ પ્રમાદ કરવા માટે નહિ, પરંતુ શકય તેટલે અપ્રમાદ કેળવવા માટે છે, તે તેને સમજાવવું પડતું નથી. આસરાજ પણ નિદ્રા ત્યજીને, આળસ ખંખેરીને ઉપાશ્રયના એક ખૂણામાં જિનેન્દ્ર ભગવાનના અપરંપાર ગુણોનું મનમાં ચિંતન કરતો બેઠો છે. - આ તરફ રાત વધવા લાગી એટલે શ્રાવક પ્રતિક્રમણ પૂર્ણ કરી, ગુરુની ચરણસેવા . કરી, પોતપોતાના સ્થાનકે રવાના થયા. આચાર્ય હરિભદ્રસૂરિને ખબર નથી કે, મકાનમાં એ આર્ય ક યાણશોતમ સ્મૃતિ ગ્રંથ . ધ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy