SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Is tostadastosta de destesto sodastada stastestestosteste state astestestestodestoste desto se destado de lostosa sestestostestosteslestestede testeste deste asoslastestosteste સમયકૃત્વને મલિન કરનારાં છે, તેથી એ પાચ દૂષણ સેવવાં નહિ. જીવનમાં આણવાં નહિ. (૧) શ્રી તીર્થંકર પરમાત્માઓ રાગદ્વેષ રહિત હોય છે, તેથી તેમને રાજા કે રંક. સમાન જણાય છે. તેઓ ક્યારેય પણ ખોટું બોલતા નથી તથા તેઓશ્રી સર્વજ્ઞ હોય છે. એટલે તેઓ સમગ્ર જગતના પદાર્થોને સંપૂર્ણપણે જાણતા હોવાથી એમણે જણાવેલા તત્ત્વજ્ઞાન અને અન્ય બાબતમાં આપણે શંકા કરવી ન જોઈએ. (૨) શ્રી જિનેશ્વર દેવી માતાના ઉદરમાં આવે ત્યારથી મતિજ્ઞાન થતજ્ઞાન, અને અવધિ જ્ઞાનયુક્ત હોય છે. દીક્ષા લે છે ત્યારે તેમને ચોથું મન:પર્યાય જ્ઞાન થાય છે. છતાં તેઓ પિતાને અપૂર્ણ માની જીવને ઉપદેશ આપતા નથી, સર્વજ્ઞ થયા પછી જ ધર્મ કહે છે. એ કારણે એમને કહેલ ધર્મ પૂર્ણ છે, તારક છે, મેક્ષ આપવાની તાકાત ધરાવે છે. તે સિવાયના ધર્મો અપૂર્ણ અને રાગદ્વેષયુક્ત વ્યક્તિઓએ કહેલ હોવાથી તારક બની શકતા નથી, તેથી જૈન ધર્મ સિવાયના ધર્મની અભિલાષા ન કરવી જોઈએ. તેમ સર્વ ધર્મ સરખા માનવા નહિ. એ રીતે કાંક્ષા દોષને સેવ નહિ. (૩) શ્રી જિનેશ્વર દેવોએ સર્વજ્ઞ થઈને ધર્મ અને અધર્મનાં ફળ કહ્યાં છે, તેથી ધર્મના ફળમાં સંશય રાખવે નહિ અને મલમલિન શરીરવાળા સાધુઓ કે સાધ્વીઓને જઈ, તેમની દુર્ગછા કરવી નહીં. એ રીતે વિચિકિત્સા દેવ સેવ નહિ. આ રીતે ત્રીજું દૂષણ નિવારવું. (૪) મિથ્યામતિઓ-પરપાખંડીઓના ગુણની પ્રશંસા કરવાથી બાળ જ મિથ્યામતિઓના મતમાં ખેંચાઈ જાય છે, જૈન ધર્મથી દૂર થઈ જાય છે. એનું ભયંકર પાપ પ્રશંસા કરનારને લાગે છે અને મિથ્યામતિઓના સંસારમાં રખડાવનાર મતની પુષ્ટિ થાય તે બીજા પણ ઘણું જીવો એ મતમાં ફસાતા જાય. તેથી અન્ય જીના ભલા માટે પણ મિથ્યામતિઓના ગુણની પ્રશંસા ન કરવી જોઈએ. આમ કરીને આ ચોથા દૂષણથી જીવે દૂર રહેવું જોઈએ. (૫) મિથ્યામતિઓને-પરપાખંડીઓને પરિચય ન કરે. જે તેમને પરિચય કરતા થવાય તો બાળ જીવે પણ તેમના પરિચયમાં આવવા માંડે અને એમની વચન જાળમાં બંધાઈ જઈ જૈન ધર્મ જેવા તારક ધર્મને ખોઈ બેસે છે. એની પરંપરા ચાલે તેથી મહાન અનર્થ થાય છે. એટલે મિથ્યામતિઓના પરિચયને તજીને પાંચમાં દૂષણથી દૂર રહેવું. અધ્યાત્મવાદથી કફઝ આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ o . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy