SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવે કવિ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિય. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ સાથે ભૂતકાળમાં થયેલ પ્રત્યક્ષ અનુભવો, તથા એમના સાધુજીવનની લાંબી દિક્ષા પર્યાયમાં ઉત્કર્ષ અને આદર્શ જીવન પર પડતે પ્રકાશ * લેખક :- કાન્તિલાલ કપૂરચંદ ગાંધી, – ઘાટકોપર(આ સંસ્મરણ મડું મળ્યું હોવાથી અહીં લેવામાં આવ્યું છે.) ૧ ભારતમાં પ્રથમ સાધુ સંમેલનમાં મુખ્ય મેવડીપદે હાજરી, ઈ. સ. ૧૯૦૯. ૨ દીક્ષા પછી એમના ગુરુદેવની એક સરખી નવ વર્ષ એટલે એમના ગુરુદેવનાં અંતિમ કાળ સુધી કરેલી તન, મનથી, વૈયાવચ્ચ ગુરુસેવા. ૩ ઈ. સ. ૧૯૩૮ માં, હરિપુરામાં મહાત્મા ગાંધી સાથે મિલન. મહાત્માજીને પૂછેલ કે, અમારા સાધુ જીવનમાં, મારા લાયક કામકાજ છે? મહાત્માજીએ જવાબ આપે કે આપશ્રી, આપનાં સાધુજીવનને બરાબર યેગ્ય રીતે પાલન કરી, રાષ્ટ્ર અને સમાજ ઉપર, પૂરતે પ્રકાશ પાથરી, ધર્મનો વિકાસ કરી રહ્યા છો. અમદાવાદમાં જૈન બોર્ડિગની સ્થાપના અને શરૂઆત, પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની પ્રેરણાથી થઈ. પ ઘાટકેપરમાં શ્રાવક સંઘની સ્થાપના તથા સ્થા. જૈન ઉપાશ્રય પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની પ્રેરણાથી થયાં. વિક્રમ સંવત ૧૮૨ ૬ ઘાટકોપરમાં ત્રણ ચાતુર્માસ કર્યા–૧૯૮૨, ૧૯૯૧, ૨૦૧૩. ૭ પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજને મૂખ્ય ઉપદેશ, એ કે પ્રત્યેક વ્યકિતએ, ખપ પૂરતી ચીજો વસાવવી, કેવળ શેભા માટે વસાવવા હિંસાત્મક વલણ, જે દૂષણરૂપ છે. ૮ શીઘ્ર કવિ, પ્રાતઃ પ્રાર્થના, રાત્રિ ધર્મચર્ચા. ૯ લાંબી દીક્ષા પર્યાયમાં, ભારત દેશની, જે જે જગ્યાએ વિચર્યા, શેષકાળ રહ્યા, કે ચાતુર્માસે કરેલાં તે તે જગ્યાનાં ખૂણે ખૂણે જૈન શાળાઓ, જૈન સાહિત્યની લાયબ્રેરી, પ્રૌઢે માટે શિક્ષણ-સમિતિની રચના તથા સંતને ઉતરવા, તથા શ્રાવકવર્ગને ધર્મકરણી કરવા, ધર્મસ્થાનકે ઊભા કરવા, શ્રાવકવને પ્રેરણા કરતાં–સતત પ્રયાસ થતાએમનાં પ્રભાવશાળી પ્રવચનથી આવાં શુભ કાર્યો તુરત જ અમલમાં આવતાં અને સફળ પણ થતાં. ૧૦ ઘાટકેર ખાતે-ભૂતકાળમાં થઈ ગયેલા શ્રી હીરાચંદ વનેચંદ દેસાઈ, શ્રી ધનજી દેવસી, શ્રી જગજીવન દયાળ, શ્રી માણેકચંદ અમુલખ તેમજ હાલના શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી, શ્રી ન્યાલચંદ મૂળચંદ, શ્રી નરભેરામ મોરારજી ઝાટકિયા વગેરે શ્રાવક વર્ગને બોલાવી –ધર્મકરણી કરવા, જૈનધર્મ સ્થાનકની જરૂરિયાત, તેમજ સાધુ-સાધ્વી માટે, સમ્યક જ્ઞાન મેળવવા, શાસ્ત્ર જ્ઞાન અનિવાર્ય છે. આ પ્રેરણાત્મક સૂચનથી–ઉપાશ્રય થયે–તેમજ એ પ્રેરણાના જન્મથી હાલની ઘાટકોપર, જે શ્રમણી વિદ્યાપીઠ ફૂલીફાલી જ્ઞાન ક્ષેત્રે વિકાસ પામી, પ્રગતિ કરી રહી છે તેપૂ. શ્રી નાનચંદ્રજી મહારાજને પ્રતાપ છે. ૧૧ મુંબઈનાં ઉપનગર બોરીવલીમાં સ્ટેશન પાસે, ધર્મક્ષેત્ર, જે જ્ઞાન, આરોગ્ય માટે ઊભું થઈ વિકાસ પામ્યું તે પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબને આભારી છે. વિક્રમ સંવત ૨૦૧૪ માં પૂ. શ્રી મહારાજ સાહેબે ચાતુર્માસ કરેલ હતું. આવા પ્રભાશાળી પ્રાતઃસ્મરણીય ગુરુદેવને અમારા કટિ કટિ વંદન હેજે. ચેથા આરાના નમૂનારૂપ ગુરુદેવે શ્રાવક વર્ષમાં ચારિત્રની ઉંડી છાપ પાડી એઓને નિર્વ્યસની બનાવ્યા. ચારિત્ર ઉજજવળ બનાવ્યું. ૧૩ પૂ. શ્રી ગુરુદેવ નાનચંદ્રજી મહારાજનાં ગુણાનુવાદને અનુસરી ભાવિમાં પણ આવા સંત પ્રગટ થાય એવી શાસન દેવ પાસે પ્રાર્થના કરી વિરમું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy