________________
ગુણ આવરિત થયો છે. આંશિકપણે તે કર્મના ક્ષાયોપશમથી વિભાવ પરિણામી આત્મા પુદ્ગલને ભોગવીને સુખ અનુભવું છું તેવી ભ્રાંતિમાં જીવી રહ્યો છે.
સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી આત્માની દૃષ્ટિ પરિવર્તિત થતાં પદ્ગલિક ભાવોને ભોગવવા છતાં હું તેનો ભોકતા નથી તેવી સ્પષ્ટ સમજણ તેને વર્તે છે. અર્થાત સમ્યગદર્શન પછી ક્રમશ: આગળ વધતા પ્રશસ્ત પરિણામની ધારાએ તેનો ભોગ પણ નિર્જરાનો હેતુ થાય છે. બારમા ગુણસ્થાનના અંતે ભોગાંતરાયકર્મનો સર્વથા નાશ થતાં આત્માનો ભોગ ગુણ શુધ્ધ બને છે. અને તે કેવળીનો આત્મા અનંત સ્વગુણ પર્યાયને ભોગવે છે. તે ભોગ, તે આનંદ સહજ છે, સ્વભાવરૂપ છે, અખંડ છે, કર્મજન્ય નથી.
તે અનંત ભોગનો અનુભવ શુદ્ધ જ્ઞાન દ્વારા થાય છે અને જ્ઞાનનું પ્રવર્તન શુદ્ધ વીર્યના સહકારથી થાય છે. આ રીતે અનંતગુણો પરસ્પર સહકારી બનીને આત્મસુખને ભોગવે છે.
દેવચંદ્રજીએ આ વિષયને વિસ્તારથી સમજાવવાની સાથે ભાવચારિત્રનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે. દેવચંદ્રજી લખે છે કે જ્ઞાન સ્વપર જ્ઞાયક હોય, પણ સદા આત્મપ્રદેશાવગાહી રહે. ઈગી રીતે સ્વગુણને વિષે થિરતા, સ્વગુણભોગ આસ્વાદની રમાગતા તે ભાવચારિત્ર કહીએ.
સહજ સુખના કથનની સાથે દેવચંદ્રજીએ સાધકો સમક્ષ તે સુખની પ્રાપ્તિનો માર્ગ નિરૂપ્યો છે. સહજ સુખને ઈચ્છતાં સાધકે પોતાનો જીવન વ્યવહાર કેવો રાખવો જોઈએ ? તેના સમાધાનરૂપે દેવચંદ્રજીએ અનાસક્તભાવ અથવા અમહદશા કેળવી ચાર ભાવનાનું આચરણ કરવું તે ઉપાય નિદર્શિત કર્યો છે.
જગતના જીવોની ચિત્રવિચિત્ર પરિસ્થિતિમાં સ્વયં સમભાવે કઈ રીતે રહેવું? દેવચંદ્રજી લખે છે કે સર્વ એકેન્દ્રિયાદિ જીવ પ્રથમ ગુણસ્થાનવર્તી હોય તે ઉપરે માધ્યસ્થ અને કારુણ્ય ભાવનાએ વર્તે સ્વગુણ નિરાવરણ થાતે છતે પ્રમોદ ભાવના વર્તે. સાધમ ઉપરે સદા મૈત્રી ભાવના રાખે, સ્વ-પર ઔદયિક સન્મુખ દષ્ટિ ન રાખે.
આ જ માર્ગ કાલિક શાશ્વત છે. આમ દેવચંદ્રજીએ સન્મુખ અને તેની પ્રાપ્તિનો માર્ગ નિર્દિષ્ટ કર્યો છે.
પત્ર - ૨ માં દેવચંદ્રજીએ ભાવ અહિંસાનું સ્વરૂપ પ્રધાનપણે નિરૂપ્યું છે.
અહિંસાનું સ્વરૂપ
દેવચંદ્રજીએ ભાવ અહિંસાને પ્રાધાન્ય આપી તેનું જ સ્પષ્ટીકરણ કર્યું છે. દેવચંદ્ર કૃત વિચારરત્નસાર પ્રશ્નોત્તરીમાં અહિંસાના ભેદને સમજાવ્યા છે. (૧) સ્વરૂપ અહિંસા - જે જીવ વધ ન કરવો તેનું બીજું
२२
દેવચન્દ્રજીના આધ્યાત્મિક પત્રો Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org