SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા સાહિત્ય ભકિતમાર્ગની પરંપરાનું અનુસંધાન કરીને આબાલવૃદ્ધ સૌ કોઈને ભકિત કરવા અનન્ય પ્રેરક બન્યું છે. મોક્ષ માર્ગની સાધનામાં જ્ઞાન, ભકિત અને સંયમની ઉપાસના અનિવાર્ય માનવામાં આવી છે. તે દષ્ટિએ પ્રભુ પ્રત્યેની ભક્તિભાવના કર્મ નિર્જરાની સાથે સમકિત શુધ્ધ કરવામાં મહાન ઉપકારક બને છે. પૂજા સાહિત્યના વિષયોમાં મુખ્યત્વે તીર્થકર ભગવાનનું જીવન, જૈન તત્ત્વજ્ઞાનને લગતા વિષયો જૈન તીર્થો અને પ્રતિમા પૂજન વગેરેમાંથી પસંદ કરવામાં આવે છે. કવિ આત્મારામજીએ પૂજા સાહિત્યને સમૃધ્ધ કરવામાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. એમની પૂજા સાહિત્યની રચનાઓમાં સ્નાત્રપૂજા (સં. ૧૯૩૯) સત્તરભેદી પૂજા (સં. ૧૯૪૦) વીસ સ્થાનક પૂજા (સં. ૧૯૪૩) અષ્ટ પ્રકારી પૂજા અને નવપદની પૂજાનો સમાવેશ થાય છે. પ્રભુની સાકાર ઉપાસના માટે નવધા ભકિતની પ્રણાલિકા ભારતીય સંસ્કૃતિમાં પ્રચલિત છે. તેમાં પૂજન એટલે મૂર્તિપૂજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂર્તિનું આલંબન ભકિતમાં અનન્ય પ્રેરક નીવડે છે. વિવિધ રીતે પ્રભુ પૂજા કરવાની વિધિમાં અષ્ટ પ્રકારી પૂજા પ્રથમ કોટિની ગણાય છે. અષ્ટપ્રકારી પૂજા પ્રભુની જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એમ આઠ દ્રવ્યોથી ભક્તિભાવ પૂર્વક પૂજા કરવામાં આવે છે. પૂજા, દુહા, ઢાળ અથવા ગીત કાવ્ય અને મંત્ર એમ ચાર વિભાગમાં વહેંચાયેલી છે. દુહામાં અષ્ટ પ્રકારી પૂજાનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરવાની સાથે પરંપરાગત રીતે ઈષ્ટદેવની શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે. પ્રભુ પૂજા બે વિભાગમાં વહેંચાયેલી છે. અંગ અને અગ્ર તેનો ઉલ્લેખ નીચેના દુહામાં થયેલો છે : પૂજા અષ્ટ પ્રકારની, અંગતીન ચિતધાર, અગ્રપંચ મનમોદશે, કરિ તરિપે સંસારતકત પા-૪૩ ભકિત કાવ્યોમાં ગેયતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કવિ પોતે શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ હોવાથી વિવિધ શાસ્ત્રીય રાગનો પ્રયોગ કરીને પૂજા રચી છે. અષ્ટપ્રકારી પૂજામાં માલકોશ, જય જયવંતી ધન્યાશ્રી, કલિંગડો, પીલુ, ખમાચકા, તિલાના સિંધકાફી, ભૈરવી, ઠુમરી, જંગલી રેયતા રાગનો પ્રયોગ થયેલો છે. કળશની રચનાએ પૂજાની પૂર્ણતાનું સૂચન કરે છે તેમાં પૂજાનું ફળ, ગુરુ પરંપરા, રચના વર્ષ, સ્થળ અને કવિ નામનો ઉલ્લેખ થયેલો છે. કવિના શબ્દોમાં ઉપરોકત માહિતી આ મુજબ નોંધાયેલી છે. - - - - - . . . આત્મારામજીનું પૂજા સાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy