________________
TIT
ભારતભૂષણ આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ
લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
પાર્થચંદ્રગચ્છના અર્વાચીન ઇતિહાસમાં મહાન પ્રતાપી, “ક્રિયોદ્ધારક’ સમર્થ ધુરંધર આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીથી ગચ્છની પટ્ટ પરંપરા ફરીથી “સંવેગી પક્ષમાં આવી. પૂજ્ય આચાર્યદેવનું વ્યક્તિત્વ જાજરમાન હતું. પ્રાચીન પદ્ધતિનું ઉત્કૃષ્ટ પાંડિત્ય, જિનાજ્ઞાનિષ્ઠા, પ્રતાપ, સુવિશુદ્ધ સંયમ, તપોબળ અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય – આવા વિરલ ગુણોનો સુંદર સમન્વય એમના જીવનમાં જોવા મળ્યો. આબુની પાસે આવેલું વાંકડિયા વડગામ એમની જન્મભૂમિ. ઔદિચ્ય બ્રાહ્મણ દાનમલજી એમના પિતાદાનમલજીએ પોતાના ત્રણ પુત્રો – લખુ, ભલુ, અને કલુને પાર્થચંદ્રગચ્છના યતિશ્રી હરચંદ્રજીને અર્પણ કર્યા. ભલુ શ્રી મુક્તિચંદ્રજી ગણિને સોંપાયો. યોગ્ય અભ્યાસ કરાવ્યા બાદ શ્રી મુક્તિચંદ્રજીએ ભલુને દીક્ષા આપી, ભાઈચંદનું નામ રાખ્યું ભ્રાતૃચંદ્રજી.
સં. ૧૯૨૦માં જન્મેલા અને સં. ૧૯૩૫માં વિરમગામમાં દીક્ષા પામેલા શ્રી ભ્રાતૃચંદ્રજીને દીક્ષા પહેલાં વિદ્વાન યતિજી પાસે અધ્યયન કરવાનો સારો લાભ મળ્યો, પણ દીક્ષા પછી તુર્ત જ ગુરુનો સ્વર્ગવાસ થયો. આ ઘટના શ્રી ભ્રાતૃચંદ્રજીને ભારે અસર કરી ગઈ. પૂર્વના આરાધક એ યતિજીને યતિજીવનની શિથિલતાઓ ગમતી ન હતી. ગુરુના સ્વર્ગગમને વૈરાગ્ય અને સંવેગની ભાવના તીવ્ર બની. યતિપણાનો ત્યાગ કરી “સંવેગી” સાધુજીવન અપનાવવાનો નિર્ણય કર્યો ને સંઘે તેમની એ ભાવનાને વધાવી લીધી. માંડલના શ્રી સંઘે શ્રી કુશલચંદ્રજી મહારાજને ‘ક્રિયોદ્ધાર'ની વિધિ કરાવવા માટે માંડલ પધારવા વિનંતી કરી. સં. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૨ના દિવસે શ્રી ભાઈચંદ્રજીએ શ્રી કુશલચંદ્રજી મહારાજના વરદ હસ્તે “ક્રિયા ઉદ્ધાર કરી સંવેગી દીક્ષા લીધી. માંડલના સુજ્ઞ સંઘે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીમાં કોઈ કચાશ રાખી નહિ. પાર્શચંદ્રગચ્છના તે સમયના શ્રી પૂજ્ય (ગચ્છાધિપતિ) શ્રી હેમચંદ્રસૂરિજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દીવામાંથી દીવો પ્રગટે એમ, પાર્જચંદ્રગચ્છમાં સંવેગી પરંપરાનો શુભારંભ કરનાર શ્રી કુશલચંદ્રજી મહારાજના હસ્તે એવા જ એક મહાપુરુષ શ્રી ભ્રાતૃચંદ્રજી સંવેગ માર્ગે વળ્યા.
A ૩૦
=
===
==== સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org