________________
૭૬ )
,
" ,.ror: ૧ , -- . . ex :* *
*
* * * * *
વાનપુષ્પાંજલિ
તેમને ત્યાં પ્રશ્ન પૂછવા માટે, ભણવા માટે કે મળવા માટે આવેલ શિક્ષક-શિક્ષિકાની સાધર્મિક ભક્તિની ઉત્તમ તમન્નાપૂર્વક કુટુંબીજનોને તુરંત સૂચના કરતા અને તેમના સુપુત્રો કે પુત્રવધૂઓ સૂચનાનો ઉત્સાહપૂર્વક અમલ કરતા.
તેઓશ્રી દ્રવ્યસ્વરૂપ બાહ્યસન્માનથી સદા દૂર રહેતા, આવા નિઃસ્પૃહી હતા. જૈનશાસનના વિકટ પ્રશ્નોમાં પણ તેઓનું સુંદર માર્ગદર્શન મળતું.
તેઓશ્રીને માતાતુલ્ય શ્રીમદ્દ યશોવિજયજી જૈન પાઠશાળા પ્રત્યે અનન્ય માન હતું, જેથી પ્રસંગે પ્રસંગે તે સંસ્થા માટે ઉદાર દાનવીરોને પ્રેરણા કરતા.
અધ્યાપન કાર્ય દરમ્યાન તેઓશ્રી અનુભવજ્ઞાન અને અધ્યયનમાં ઉઘત થવા પ્રેરણા
આપતા.
જૈન સમાજને તેઓશ્રીના અવસાનથી ન પૂરાય તેવી ખોટ પડી છે. પંડિતજી જ્યાં હોય ત્યાં પરમશાંતિ પામે, તુરંત મોક્ષ પામે, અમને મોક્ષ માર્ગમાં પ્રેરણા કરે તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના.
A
A
A
અહો ! અમ ધર્મ...!” > ત્યાં સુધી જ દુઃખોની હારમાળા છે... > ત્યાં સુધી જ રાગાદિની કારમી પીડા છે.. > ત્યાં સુધી જ ગર્ભ કે જન્મની પરંપરા છે. > ત્યાં સુધી જ અનેક વિટંબણાઓ છે. > ત્યાં સુધી જ દુર્ગતિમાં ગમન ચાલુ છે.. > ત્યાં સુધીજ રોગોનો ઉપદ્રવ છે. > ત્યાં સુધી જ કલેશથી ભરેલો ભયંકર સંસારસાગર ઘુઘવાટા કરી રહ્યો છે
કે જ્યાં સુધી આત્માએ સિંહ બનીને સર્વ પાપોના ત્યાગ સ્વરૂપ સંયમ ધર્મ અંગીકાર કર્યો નથી.
A
A
A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org