________________
૫ : અર્થવ્યવસ્થા
૫૫ .' રૂપિયા જેવી બાદશાહી સખાવત આપી હતી. આ સખાવતને કારણે વિદ્યાલયના મુંબઈના મકાનને “શેઠ વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થિગૃહ”નું નામ આપવામાં આવ્યું એમને સંસ્થાના આશ્રયદાતા (પેટ્રન) તરીકેનું બહુમાન આપવામાં આવ્યું; અને એમને કાયમને માટે બે ટ્રસ્ટ-ઑલર નીમવાનો અધિકાર આપવામાં આવ્યા. વિદ્યાલયના મકાનના ઉદ્દઘાટન સમારંભ બાદ છ એક મહિને જ આ સખાવત મળી હતી. એક લાખ રૂપિયાની સખાવત આમેય નાદર સખાવત લેખી શકાય; તેમાંય સંસ્થા જ્યારે એક પ્રકારની આર્થિક સંકડામણમાં હતી એ વખતે આવી મોટી સખાવત મળવી એ કુદરતની મોટી મહેર જેવું કે સંસ્થા અને સમાજની જાગતી પુણ્યાઈ જેવું જ લેખી શકાય. વિદ્યાલયને આ સખાવત મેળવી આપવામાં શેઠ શ્રી મનસુખલાલ છગનલાલે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ સમારંભ તા. ૯-૪–૧૯૨૬ના રોજ સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપદે ઊજવાયો હતો.
અમદાવાદનિવાસી શેઠ શ્રી સારાભાઈ મગનભાઈ મોદી સામાન્ય સ્થિતિમાંથી આપબળે શ્રીમંત થઈ શક્યા હતા. અમદાવાદને શેઠ જમનાભાઈ ભગુભાઈની મદદથી તેઓ બી.એ. સુધી અભ્યાસ કરી શક્યા હતા અને પોતાના ભાગ્યને ખીલવવામાં આ અભ્યાસે ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો તે વાત તેઓ ક્યારેય વિસરી શક્યા ન હતા. તેથી એમનું દિલ વિદ્યાથીઓ તથા વિદ્યાર્થિનીઓને એમના માધ્યમિક તેમ જ ઉચ્ચ અભ્યાસ માં સહાય કરવા હંમેશાં તલસ્યા કરતું. એમના તરફથી મળેલ બે મોટી સખાવતની વિગતો એમની આ ભાવનાની સાક્ષી પૂરે છે.
શ્રી સારાભાઈ મગનભાઈ મોદી ન સ્કોલરશિપ ફંડ–વિદ્યાર્થીઓ તથા વિદ્યાથિનીઓને માધ્યમિક શિક્ષણમાં લેનરૂપે સહાયભૂત થવાના હેતુથી દર વર્ષે સાત હજાર રૂપિયા ખરચી શકાય એ માટે (સાતે વર્ષે પાંત્રીસ હજાર થઈ રહે એ હિસાબે) એમણે વિદ્યાલયને રૂ. ૩૧,૦૦૦ સને ૧૨૩ના ઑકટોબર માસમાં સોંપ્યા. સાથે સાથે એમણે એવી તત્પરતા પણ દાખવી કે કઈ સજજન રૂા. ૬૫,૦૦૦ આપીને આ ફંડને એક લાખ રૂપિયાનું બનાવે તો આ ફંડ સાથે એમનું નામ જોડીને પોતાનું નામ કમી કરી શકાય. પાંત્રીસ (રોકડા એકત્રીસ) હજાર જેવી રકમથી શરૂ થયેલ આ ફંડમાંથી છેલ્લાં ૪૧ વર્ષ દરમ્યાન ૮૫૮ વિદ્યાથી–વિદ્યાર્થિનીઓને, લોનના વળતરને કારણે, રૂા. ૯૫,૮૮૯ જેટલી રકમ આપી શકાઈ છે; અને અત્યારે એ ફંડ પાસે રૂ. ૨,૩૦૪-૭૬ ની પુરાંત છે.
આ ફંડને વહીવટ આઠ સભ્યની એક પિટાસમિતિ દ્વારા થાય છે, જેમાંના પાંચ સભ્ય વ્યવસ્થાપક સમિતિ દ્વારા અને ત્રણ સભ્ય શ્રી સારાભાઈ મોદીના ઉત્તરાધિકારી દ્વારા નિમાય છે. અત્યારની સમિતિ નીચે મુજબ છે – ૧. શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ
૫. શ્રી જમનાદાસ સારાભાઈ મોદી (મંત્રી) ૨. શ્રી દીપચંદ મગનલાલ શાહ
૬. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા ૩. શ્રીમતી પન્નાબહેન જયંતભાઈ પારેખ ૭. શ્રીમતી તારાબહેન પ્રસન્નમુખ બદામી ૪. શ્રી મગનલાલ ભગવાનજી શાહ
૮. શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા ૧. વિદ્યાલયના બાવનમા વર્ષના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં ૮૮૩ વિદ્યાથીઓ-વિદ્યાર્થિનીઓને રૂા. ૯૮,૨૯૯-૮૭ની સહાય આપી શકાઈ છે; રૂા. ૪૯,૭૭૮–૧૮ જેટલું લેન-રિફંડ મળેલ છે; અને ફંડમાં રૂ. ૧,૬૪૩–૧૨ જેટલી પુરાંત રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org