________________
રાજા અને
ગી
લેખક—શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
વેશ વૈરાગીને અને કાયા કામદેવની ઉમર યૌવનની અને આચરણ સાધુ-સંતનું ! સમ્રાટ તે રોજ રોજ એ બાળગીને જુએ છે અને અચરજ પામે છે. એનું મન કોઈ રીતે કબૂલ કરતું નથી કે આવી ઉંમરે કોઈ આ ભેખ લઈ શકે અને એને નભાવી શકે. - તરવરતું યૌવન છે, સુંદરહામણું કાયા છે, રાજકુમારનેય ઝાંખે પાડે એવું રૂપ છે અને દેવકુમાર કરતાંય ચડી જાય એવી કાંતિ છે. સપ્રમાણુ પાતળિયું શરીર, ગૌર વર્ણ, બ્રહ્માએ નવરાશે ઘડ્યો હોય એ સર્વાંગસુંદર દેહ, તેજરતી આંખ, સૌંદર્યના સાર સમી નાસિકા–શરીરનું એકએક અંગ જાણે કઈ દેવશિલ્પીએ જીવ રેડીને કંડારેલી આરસપ્રતિમા જેવું કામણગારું છે. અને શરીરની એ સમગ્ર સુશ્રીને ત્યાગ-વૈરાગ્ય-સંયમને અંચળો ઢાંકી રહ્યો છે, છુપાવી રહ્યો છે.
પણ સૌદર્ય તે વણબોલ્યું વશીકરણ છેઃ સૌદર્યની આભાને નીરખે અને માનવી એના તરફ ન ખેંચાય એ ન બને—લોહચુંબકની અસરથી લેહ ક્યાં સુધી બચી શકે? આવા સૌંદર્યને ઢાંકવા ભલે ને યોગી પ્રયત્ન કરે, ભભૂત લગાવે, ભગવા પહેરે, પણ છેવટે તે “કર્મ છિપે નહીં ભભૂત લગાયે” વાળે જ ઘાટ થાય. ક્યારેક તો વસ્ત્રો-આભૂષણને શણગાર કાયાની કાંતિને ઝાંખી પાડીને પિતાની શોભા વધારતાં હોય છે—જેનાર તે શણગારને જુએ કે શરીરને? એટલે તો યૌવનમસ્ત સુંદર શરીરને મેગીને વેશ વધારે સૌદર્યઝરતું બનાવી મૂકે છે. આવા સૌંદર્યની આભાને વશ ન થાય એ કાં જેગી ક પથ્થર!
સમ્રાટ તે ભારે સંસારરસિ જીવ છે. સૌંદર્યનું પાન કરતાં એને ક્યારેય તૃપ્તિ થતી નથી. ભોગ-વિલાસ એ જ એને આનંદ છે. અને પિતાની જોગવાસનાનાં પ્રતિબિંબ એને ચોમેર દેખાય છે. ત્યાગ, વૈરાગ્ય અને સંયમને તે એ જઈફ ઉંમરના ખેલ માને છે. જ્યાં જ્યાં યૌવન ત્યાં ત્યાં વિલાસ અને જ્યાં જ્યાં સૌંદર્ય ત્યાં ત્યાં ભગવાસના, એ જ એની સમજણ છે. એનાથી જુદી વાત એને સમજાતી નથી, યૌવનથી છલકતું સૌંદર્ય
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org