________________
શ્રદ્ધાંજલિ
૧૮૯
આ મુનિવરનું મૂળ વતન પંજાખમાં ગુજરાનવાલા જિલ્લાનું ભાખરિયારી ગામ. વિ. સ'. ૧૯૩૭માં એમના જન્મ. નામ લક્ષ્મણદાસ. પિતાનું નામ દૌલતરામ. તેએનું કુટુંબ શૈવધી હતું. તેએ એમના પિતાના એકના એક સંતાન હતા. પિતાનું છત્ર નાનપણમાં જ હરાઈ ગયું તેથી તેએ જૈનધમી એસવાલ લાલા ખૂડામલ ભગતને ત્યાં ઊછર્યો. એટલે ધીમે ધીમે એમનું વલણ જૈનધર્મ તરફ ઢળતું ગયું. વિ. સ. ૧૯૫૪માં એમણે પજામમાં નારાવલ ગામમાં મુનિ શ્રી વલ્લભવિજયજી પાસે દીક્ષા લીધી. નામ લક્ષ્મણવિજયજી રાખ્યુ. તે રામના હનુમાનની જેમ મુનિ શ્રી વલ્લભવિજયજીના અનન્ય સેવક મની ગયા. તેને વિ. સ. ૧૯૭૬માં ખાલીમાં પંન્યાસપદ અને વિ. સ'. ૧૯૯૩માં વીસલપુરમાં આચાર્ય પદ આપવામાં આવ્યુ' હતું.
તેએ શાસ્ત્રના અભ્યાસી અને પ્રભાવશાળી વક્તા તેમ જ સંગીતના પણ જાણકાર હતા. તેએએ જુદે જુદે સ્થાને વિહાર કરવા છતાં એમનું મુખ્ય કાર્યક્ષેત્ર મારવાડ હતું. અને મારવાડના પછાત સમાજનો ઉદ્ધાર કરવામાં એમણે ખૂબ પુરુષાથ કર્યાં હતા. તેથી જ તેઓને મરુધરદેશે દ્ધારક'નુ' સાક બિરુદ મળ્યુ હતુ.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે ગુજરાનવાલાના ગુરુકુલ માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી ગાળ-ખાંડ નહી' વાપરવાના નિયમ કરેલેા. અડસઠ હજારે ફાળા અટકી ગયા હતા. મુનિ શ્રી લલિતવિજયજી એ વખતે મુંબઈમાં હતા. એમના જેવા ગુરુભક્તથી આ સહન કેમ થાય ? એમણે, પેાતાની પ્રેરણાથી અજૈનમાંથી જૈન બનેલ શ્રી વિઠ્ઠલદાસ ઠાકેારદાસને વાત કરી. એ ભાઈ એ તરત જ ખત્રીસ હજાર રૂપિયા આપીને આચાર્ય મહારાજના સ’કલ્પ પૂરા કર્યાં.
ગુરુ પ્રત્યેની ભક્તિ અંગે તેા તેઓ કહેતા કે ગુરુમહારાજના મારા ઉપર એટલા બધા ઉપકાર છે કે જો એમની આજ્ઞાનુ પાલન કરતાં કદાચ આ દેહ પડી જાય તેપણુ એને બદલેા વળી શકે એમ નથી, પેાતાનુ` સવ સ્વ ગુરુચરણે સમર્પણ કરવુ. એ જ એમના જીવનઆનંદ હતા. વરકાણાનું શ્રી પાર્શ્વનાથ વિદ્યાલય એ ગુરુપ્રેરણાથી આ મુનિવરે કરેલ અવિરત પ્રયત્નનું જ પરિણામ છે. ફાલનામાં સ્થપાયેલ જૈન કૉલેજના પાયામાં પણ એમના પરસેવા પડેલા છે.
આ ગુરુભક્ત અને કર્તવ્યનિષ્ઠ આચાર્ય મહારાજ વિ. સં. ૨૦૦૬માં સ્વર્ગવાસી થયા. એમની સેવાની યશેાગાથા સૌને સેવાની પ્રેરણા આપતી રહેશે. આચાર્ય શ્રીને આપણી અનેકાનેક વન્દ્વના હા !
પૂજ્ય ઉપાધ્યાયશ્રી સાહનવિજયજી મહારાજ, તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયઉમ'ગસૂરિજી મહારાજ અને વિદ્યાલયને માટે મમતા દર્શાવનાર અને પ્રયત્ન કરનાર સર્વ સાધુમુનિવરને પણ આ પ્રસંગે આપણે આપણી ભાવભરી અજલિ અર્પણ કરીએ.
*
એ હાથ ભેગા થાય તેા તાળી પડે: પ્રેરક સંતા અને કાર્યકર સગૃહસ્થાના સુમેળ સધાય તા સત્કાર્ય ના જન્મ થાય. વિદ્યાલયના ઇતિહાસ કહે છે કે એની સ્થાપના માટે પ્રેરણા આપનાર સાધુપુરુષની પ્રેરણાને હાંશે હારો ઝીલનાર આગેવાના જોઈએ તેટલા મળી આવ્યા, અને એ બધાના પુરુષાર્થીને ખળે વિદ્યાલયની સ્થાપના થઈ અને એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org