SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ ૧૭૯ ૧. તેઓએ ગુજરાતમાં રાધનપુર, પાલનપુર, વડોદરા, અમદાવાદ, સૂરત, ખંભાત વગેરે સ્થાનમાં ૧૪ ચતુર્માસ કર્યા હતાં; સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પાલીતાણાની પવિત્ર તીર્થ ભૂમિમાં બે ચતુર્માસ કરીને આત્મચિંતનને વિશેષ લાભ લીધો હતો. રાજસ્થાનમાં સાદડી, બીકાનેર વગેરે સ્થાનમાં મળીને આઠ, ઉત્તર પ્રદેશમાં એક અને મુંબઈ સિવાયના મહારાષ્ટ્રમાં પૂના તથા બાલાપુરમાં એક-એક ચતુર્માસ કર્યા હતાં. રોષકાળમાં તે તે પ્રદેશમાંનાં સંખ્યાબંધ ગામો-શહેરોને એમના સૌમ્ય છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વને લાભ મળતો રહ્યો હતો. સામાની વાતને સમભાવપૂર્વક સમજવી, શક્ય હોય તો એને સ્વીકાર કરો અને ઈન્કાર કરવાનો વખત આવે તો પણ સામાના દિલને ચોટ ન પહોચે એવી રીતે કરે : આચાર્ય મહારાજના આવા વર્તનમાં એમની અહિંસા અને કરુણાની સાધના દેખાઈ આવતી હતી. પરિણામે કઈ લાગણીપૂર્વક કંઈ માગણી કરે તો તે માટે ભાગે માન્ય જ રહેતી. પોતાના ગામ પધારવાની કે અમુક ધર્મકાર્યમાં સહકાર આપવાની કેઈની પણ વિનતિને તેઓ જવલ્લે જ ઈનકાર કરતા. અને જેમણે પોતાનું જીવન સર્વજનવત્સલ બનાવ્યું હોય તે આ ઈનકાર કરી પણ કેવી રીતે શકે? આચાર્યશ્રી જ્યાં જતા ત્યાં પિતાને ધર્મસંદેશ લઈને જ જતા. સંધમાં જામેલા અજ્ઞાન અને અંધશ્રદ્ધાનાં અંધારાને ઉલેચીને અને સંકુચિતતા, રૂઢિપ્રસ્તતા અને સાંપ્રદાયિક કટ્ટરતાનાં પ્રગતિરોધક બંધનોની સામે જેહાદ જગાવીને સંઘને સજાગ કરો એ જ આચાર્ય મહારાજના ધર્મસંદેશને પ્રાણ હતું. આ રીતે ધર્મની સેવા થતી હોય તે તેઓ પોતાની સર્વ શક્તિને સહર્ષ સમર્પિત કરતા; અને માત્ર વાદાવાદ થતો હોય કે સમાજની પ્રગતિને રોકી રાખે એવી વાતે ચાલતી હોય ત્યાંથી તેઓ સો ગાઉ દૂર રહેતા–સાચા સાધકને સમય અને શક્તિને આ વ્યય કર્યો ન જ પાલવે. આ માટે આચાર્ય મહારાજ સદા જાગ્રત રહેતા. આ રીતે ઠેર ઠેર વિચરીને અને સમાજઉત્કર્ષને સંદેશો ફેલાવીને આચાર્યશ્રીએ પિતાના સાધુજીવનને ધન્ય બનાવ્યું, આચાર્યપદને ચરિતાર્થ કર્યું અને સાધુસમુદાયને માટે એક જવલંત ઉદાહરણ આપ્યું. અંતિમ વિદાય મુંબઈ તે આચાર્ય મહારાજનું પણ એક પ્રેરક કર્તવ્ય ક્ષેત્ર હતું. ત્યાંની સમાજ ઉત્થાનની પ્રવૃત્તિને લાભ આખા દેશને મળત. આ યુગદ્રષ્ટા સંતપુરુષનાં છેલ્લાં વર્ષો મુંબઈમાં વીત્યાં. એ વર્ષોની એમની એક એક પળ પિતાની ભાવનાને સફળ બનાવવાની શ્રીસંઘને પ્રેરણા આપવામાં અને એ માટે પુરુષાર્થ કરવામાં વીતી. અને એક દિવસે પુરુષાર્થ કરી કરીને થાકેલી કાયાએ પિતાની કળા રાકેલી લીધી? આચાર્યપ્રવરને પ્રવિત્ર આત્મા ઉચ્ચ સ્થાનને અધિકારી બનીને એ કાયાને છેડી ગયો વિ. સં. ૨૦૧૦ ના ભાદરવા વદ ૧૦, તા. ૨૨-૯-૫૪ ને એ દિવસ. પુષ્પ ખરી પડયું , પણ એની સુવાસ સંસારમાં સદાને માટે વિસ્તરી રહી! . . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy