________________
૪૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
સત્ અને અસત્ ધર્મોને યુગપ ્ જાણી તો શકીએ છીએ પણ ખોલી નથી શકતા એટલું જ—આવો આનો અર્થ થાય. કદાચ આને લઈ ને જ કેટલાક આધુનિક જૈન વિદ્વાનોએ અવક્તવ્યની ખીજી વ્યાખ્યા એવી કરી કે વસ્તુમાં પેય અનંત ધર્મો છે અને અસપેય અનંત ધર્મો છે અને આપણે ન તો બધા સરૂપધર્માં જાણી શકીએ છીએ કે ન તો બધા અસટ્રૂપ ધર્મો જાણી શકીએ છીએ. આમ શરૂઆતમાં સત્-અસત્ દેશ-કાલના સંબંધથી નિરપેક્ષપણે સામાન્ય-વિશેષના અર્થમાં વપરાતાં, પછી સૃષ્ટિ અને સત્ કે અસત્ વચ્ચેના સંભાવિત કાર્ય-કારણભાવનું સૂચન મળ્યું અને વિચારમાં ફાલતત્ત્વનું પૌĆપર્યં દાખલ થયું, ત્યાર બાદ સ્વયં સત્ અને અસતના પારસ્પરિક સંબંધની ચર્ચા થઈ, દર્શનકાળમાં કાર્યકારણમાં સત્ છે કે અસત્ એ પ્રશ્ન વિશેષે ચર્ચાયો, સાથે સાથે સની ત્રણ કોટિઓ પાડવામાં આવી, તદનન્તર સતુની વ્યાખ્યાઓ ધડાઈ અને તેમનું ખંડનમંડને ચાલ્યું, વળી સત્–અસતના યુગલના અનુસંધાનમાં જ સદસદ્વિલક્ષણતાવાદ ઊભો થયો. આ રીતે સત્-અસત્ યુગલની આસપાસ ઘણું તાત્ત્વિક મંથન થયું અને એમાંથી અનેક વિચારવાદો ભારતીય દર્શનને સાંપડ્યા. જેમ અહીં સત્અસત્ યુગલને લઈ એની પરંપરામાં આપણને શું પ્રાપ્ત થયું તે જોયું તેમ કોઈ સમાનધર્માં બીજા યુગલોને લઈ તેમની પરંપરામાંથી આપણને શું પ્રાપ્ત થયું છે તે દર્શાવશે તો આનંદ થશે.૧ ૨
૧૨
ઉપર સત્ અને અસત્ એ બે દાર્શનિક કલ્પનાઓની સંક્ષેપે ચર્ચા કરી છે, એ સાથે અહીં ઉમેરવું જોઈએ કે સત્ અને અસત્ની કલ્પનાના વિચારવિકાસમાં બીજાં અનેક તત્ત્વો સમાયેલાં છે, અને તે અનેક રીતે સૂક્ષ્મતાથી ચર્ચાયાં પણ છે. દા॰ત, નિત્ય અને અનિત્યની દાર્શનિક ચર્ચા સત્ અને અસત્ કલ્પનાના કાલિક પાસામાંથી ઉદ્દભવી છે, જ્યારે એકત્વ અને પૃથકત્લની દાર્શનિક ચર્ચા સંખ્યાના પાસામાંથી ઊપસી છે. એ જ રીતે અભિલાપ્યત્વ અને અનત્રિલાપ્યત્વની દાર્શનિક વિચારસરણી સત્ અને અસતના શબ્દગમ્યત્વ અને શબ્દાગમ્ય પાસામાંથી વિસ્તરી છે. પરંતુ સામાન્ય અને વિશેષ અથવા દ્રવ્ય અને પર્યાયની ચર્ચા કાલિક, દૈશિક આદિ બધાં પાસાઓને આવરે છે. આ રીતે ભારતીય દર્શનોમાંની પ્રસિદ્ધ સત, અસત્ આદિ કલ્પનાઓનો ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તો લગભગ બધી જ દાર્શનિક મૂળભૂત કલ્પનાઓની સમજણ વિશદ અને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org