________________
૧૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ
દધિપન કહે અમ ઘર છે સૂઆર, સકળ કળા ગુણ રયણ ભંડાર, તિણે આપ્યા અમે રાય તુરંત, ભમી ભણે દધિપ સુણ સંત. સૂરજપાક રસોઈ કરાવો, વંછિત કાજ સે તુમ પાવો. કહે હુંડક દોહિલા અમે આવ્યા, ભીમી સ્વયંવર જેવા આવ્યા.
પહેલો સ્વયંવર ઉત્સવ કીજે, રસવતિ સ્વાદ પછે નૃપ લીજે. એ જ પ્રસંગના આલેખનમાં તે પછી ઋષિવર્ધને પોતાની કલ્પનાથી હુંશિક પાસે ભીમ રાજાને એમ કહેવડાવ્યું છે, “નળ થવામાં મારું શું જાય છે? જે તમને એમ લાગતું હોય તો લ્યો, આ હું નળ થયો. લાવો મને દવદંતી આપો.” આવા શબ્દો જેન પરંપરાની નલકથામાં નથી. ઋષિવર્ધને હુંડિકના મુખમાં એ શબ્દો મૂક્યા છે. જુઓ :
મઝન ન થાવા તણી, રાહડિ જઉ તમહ ચિત્તિ,
તુ ૬ નલરા આ ઉ, મઝનઈ દિઉ દવદંતિ. ઋષિવર્ધનને અનુસરીને વાચક મેઘરાજે (અને મહારાજે પણ) નળના મુખમાં એવા શબ્દો મૂક્યા છે :
નળ થાતાં માહરું શું જાય, જે તુમારો મન એમ સહાય,
તો હું નળ થયો છું આજ, વો ભીની સારો નૃપ કાજ. આ પ્રસંગના આલેખનમાં ઋષિવર્ધનની અને મેઘરાજની બીજી થોડીક પંક્તિઓ સરખાવો : ઋષિવર્ધન :
યૌવન ભરિ પ્રીઉ તણુ વિયોગ, દુસહ સંનિપાત સંયોગ, તિણિ વિવલ દવદંતી હુઈ, તાસ વચનિ ત મતિ કાં ગઈ વિદ્યા કલા તણાં અહિનાણ, તે પણ સઘલા અપ્રમાણ,
એક એકમાં અધિકાં અર્ધી કલા જાણુ ભગિ ગુણવંત પછઈ. મેધરાજ :
યૌવન ભર પ્રિયતણે વિયોગ, વિરહાનળ પડે મહારોગ, ભીમી ભદ વિહ્વળ મતિ માઠી, તસુ વચને તુમ મતિ કાં નહી ? કલા સુલક્ષણ વિદ્યા માહરી, સૂરજપાક રસોઈ સારી,
દેખી કાં મન ભૂલા તેરા, જગમેં કળાવંત બહુતેરા. ઋષિવર્ધન :
ઈહિં વનિ સહૂ ઢીલઉં દૂઉ, ઊઠી જાવા લગ જૂજૂછ્યું,
ભીમ સુતા તવ મૂકી લજજ, જંપઈ તાત નિરુણિ નિરવ જજ. મેઘરાજ ઃ
ઈણે વચને સહુ ઊઠી જાય, ભમીનું મન વ્યાકુળ થાય,
ભીમરથ નૃપ આગળ દિલ ખોલે, લાજ મૂકીને ભીમી બોલે. હુંડિક નળ તરીકે પ્રગટ થતો નથી એ વખતે દવદંતી એને એકાંતમાં ઉપાલંભ આપે છે. એ પ્રસંગે ઋષિવર્ધને દવદંતીના મુખમાં મૂકેલી કેટલીક પંક્તિઓ સાથે સરખાવતાં જરૂર લાગશે કે મેઘરાજનું પોતાના પુરોગામી કવિ ઋષિવર્ધન પ્રત્યેનું ઋણ ઘણું મોટું છે. ઋષિવર્ધન લખે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org