________________
(૪) યોગબિંદુનો છેલ્લો શ્લોક નીચે મુજબ છે : समुद्धत्यार्जितं पुण्यं यदेनं शुभयोगत: । भवान्यविरहात् तेन जनः स्ताद् योगलोचनः || ५२७ ॥
ચોગબિંદુના ટીકાકાર કોણ? : ૭૧
આની ટીકામાં ટીકાકાર જણાવે છે કે વિરૢ વૃતિ ચ માવત: શ્રીહરિમંદ્રસૂરે સ્વપ્નોતર તિ। હવે આ ટીકા ખરેખર જે સ્વોપન હોય તો હરિભદ્રસૂરિ મહારાજ પોતાને માટે ‘ ભગવાન્ હરિભદ્રસુરિ ’ એવો ઉલ્લેખ કરે જ નહિ. અહીં ‘ભગવાન હરિભદ્રસુરિ’ એવો ટીકામાં ઉલ્લેખ હોવાથી દીવા જેવું સ્પષ્ટ છે કે, ‘યોગબિંદુ મૂળના કર્તા હરિભદ્રસૂરિજી મહારાજ છે, જ્યારે એના ટીકાકાર કોઈ બીજી વ્યક્તિ છે.’
આ ઉપરાંત આ ટીકાનું સુક્ષ્મદષ્ટિએ અવલોકન કરવાથી આા પણ એવા આધારો મળવાનો સંભવ છે કે જે ઉપર જણાવેલ હકીકતનું સમર્થન કરે.
આ ટીકાકારે ટીકામાં કોઈપણુ સ્થળે પોતાના ગુર્વાદિકના નામનો નિર્દેશ કરેલો ન હોવાથી એમનું શું નામ હતું, તેમની ગુરુપરંપરા કઈ હતી તેમ જ તેઓ કયા સમયમાં વિદ્યમાન હતા એ કંઈ પણ જાણી શકાતું નથી. ટીકામાં ઉષ્કૃત કરેલા અનેક પાઠોના મૂળસ્થાનોની ગવેષણા કરવાથી સંભવ છે કે તેમના સત્તાસમય વિષે કંઈક કલ્પના કરવાનું સાધન મળી આવે.
વિદ્રાનો આ વિષે વિશેષ ગવેષણા કરશે એવી અભિલાષાથી આ લેખ સમાપ્ત કરું છું.
વિ. સં. ૨૦૨૧, શ્રાવણુદે પ માંડવી (કચ્છ)
Jain Education International
પૂજ્યપાદગુરુ દેવમુનિરાજશ્રીભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org