SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ આનંદ પ્રવચન દર્શન નથી. નિર્દોષ ભિક્ષાનું ઉપજીવન તે સાધુમાં જ છે. તેઓ વળે આહાર પરઠવી દે પણ રાખી નહીં મૂકે. અહીં પણ સહજ પ્રશ્ન થશે કે આજે લઈને બીજે દિવસે ખાય તે રાત્રિભોજન કહેવાય, તેથી સાધુ સંચય ન કરે પણ વધેલો આહાર 'ગરીબને કે જનાવરને જે તે અડચણ શી ? ઉત્તરમાં જાણવાનું કે દુનિયાદારીને અનુભવી હોવાથી તમને એ તો સારી રીતે માલુમ હશે કે ટ્રસ્ટડીડમાં જે રકમ જે રૂપે લખાઈ હોય તેમાં ફેરફાર કરવાની લેશમાત્ર પણ ટ્રસ્ટીઓને સત્તા નથી. ટ્રસ્ટીઓ માત્ર ટ્રસ્ટડીડમાં લખ્યા મુજબ વહીવટ કરી શકે છે. વિદ્યાભ્યાસ માટે લખવામાં આવેલી રકમને જરૂર હોય તે પણ વસ્ત્ર કે દવા માટે વાપરવાની ટ્રસ્ટીની સત્તા નથી. એ જ રીતે મુનિમહારાજાઓ વહેરતી વખતે કઈ કબૂલાત આપે છે ? એ કબૂલાત જેવી તેવી નથી! ધર્મલાભ ! ! ધર્મલાભ એટલે? જ ઢામ ધર્મામઃ કેઈની પાસેથી ચીજ લેવાને કેઈને હક્ક નથી. કેઈની પણ ચીજ પિતાને મળે તે ઠીક આવું ધારવા, વિચારવાને પણ હક્ક કેઈને નથી. અંતરાયકર્મ બાંધવાની જડ જ આવા વિચારે છે. “અન્યની ચીજ પોતાને મળે તો ઠીક, પિતાની થાય તો ઠીક” આવો વિચાર કરે એ જ અંતરાયકર્મ બાંધવાનો રસ્તો છે. ત્યારે સાધુ પારકી ચીજ કઈ રીતે લઈ શકે? ધજ ગ્રામ: એ શરતે લઈ શકે. પિતે નિષ્કિચન છે, નિરારંભી ધમી છે, મહાવ્રતધારી છે, સંચમરૂપ ધર્મના પાલનના સાધન તરીકે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર પાત્ર, કંબલ, દાંડા, પાનાં, પુસ્તક, પોથી આદિ ઉપકરણની આવશ્યકતા. છે માટે તે લે છે, તેમજ ધર્માદ મ. એટલે જે વસ્તુ લેવામાં આવે તેને ઉપગ પણ ફકત ધર્મને જ માટે કરવાને. એ પણ કબૂલાત છે જ, વળી તેમાં પણ પ્રશ્ન થાય કે પોતાના ક્ષાપશમિક જ્ઞાન લાભાદિક માટે તેને ઉપગ થાય તે તે ઠીક. પણ શિષ્ય, આચાર્ય,
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy