________________
આજનું પરું ચારિત્રપાલન
૩૮. આપવા જેટલું પણ કર્યું છે? દીક્ષિતને અંગે કુટુંબના કલેશમાં પણ, ધર્મનું બીજ છે. સમજી શકાય તે સમજાય તેવું છે. પાણીમાં તણાયેલું અને દટાયેલું ધન કેઈ દિવસ પણ હાથમાં આવે, પણ બળી ગયેલું કાંઈ હાથ આવશે નહીં. જેના હૃદયમાંથી ધર્મનું બીજ બળી ગયું છે. તેવા વગર સંબંધના, ભાડૂતી તથા ભાડુ પણ ન મળે તેવા ઘેરૈયા બની. ગાંઠની ખીચડી ખાઈ વચ્ચે માથું મારનાર લોકે દીક્ષા તથા ધર્મના દરેક અનુષ્ઠાનની આડે આવે છે, અને બકવાદ તથા ધમાલ કરે છે.
અત્યારે ભેગની સામગ્રી જબરજસ્ત છે. પહેલાં આટલી નહતી. અત્યારે ધર્મની બુદ્ધિ સિવાય ધર્મ કરવાનું થાય શાથી? અત્યારના એવા મુહપતિ દેવકાદિની ઇચ્છાવાળાની નહિ, પણ કલ્યાણની બુદ્ધિવાળાના ગણાવાને વધારે સંભવ છે. જો આમાં પરિણતિજ્ઞાન સાથે. પ્રવૃત્તિ હોય અર્થાત્ મેક્ષની બુદ્ધિવાળું સંયમ હોય તે આઠથી વધારે ભવ થાય નહિ. વળી મેરૂ જેટલા ઘા લીધા તેમને પણ ફળ સારું મળ્યું કે ટું? તે એવા લેનારા દેવલોક જ ગયા છે, પણ નરકે ગયા નથી.
હવે એ વિચારે કે ઘા વધારે લીધા ? કે સંસારી પણ વધારે રહ્યા ? એવા લીધા તેના કરતાં અનંતગુણી વખત માતાપિનાદિ કર્યા છે તેનું ફળ શું મળ્યું? જેના સંગથી નરક-તિર્થ ચગતિ મળે છે તે સંસારીપણું છોડાતું નથી અને જેનાથી દેવલેક મળે છે તે દીક્ષા આદર થતું નથી તો ગતિ શી ?
શુષ્કજ્ઞાનથી કાંઈ વળવાનું નથી માટે પરિણતિમાં આવવાની પ્રથમ જરૂર છે. આદરવું કાંઈ નથી, ન કરવું સામાયિક, ન કરવી પૂજા, ન કરવું પ્રતિક્રમણ, ન કરવો પિસહ, ન કરવા વિહાર, ન કરવા વ્રતપચ્ચક્ખાણ અને બૂમ માર્યા કરવી કે જ્ઞાનનો જમાનો છે. એને અર્થ ? આરીસામાં આખું પ્રતિબિંબ પડયું, પણ આરીસે કેઈને ઓળખે નહીં તેમ શાસ્ત્રોનાં શાસ્ત્રો વાંચી જવાય ભણી જવાય. પણ આત્માને કલ્યાણને રસ્તે લાવવાને તેમાંનું એક પણ વાકય ઉપયોગી થાય નહીં તે તે શુષ્કજ્ઞાન છે, વિષયપ્રતિભાસ જ્ઞાન છે, એવું તે - અનંતીવાર મળ્યું અને ગયું પણ ફળ્યું નહીં, અને ફળે પણ નહીં,