________________
હું કોણ?
૩૪૩ થાય છે કે ચાલે, રૂ. બે હજાર ભરવા પડે એમ હતું, પણ પંદરમાં પીડા મટી, આ રીતે જે ૫૦૦ બચાવે છે તે પાંચસે બચાવતું નથી, પરંતુ ખરી રીતે તે ૧૫૦૧ ગુમાવે છે.
૧૫૦૧નું મન થયું પણ તેમાં દાનરૂચિ ન હતી, એ તે માર ખાઈને મુસલમાન બન્યા હતા, એટલે એના પંદર એળે જાય છે. આ દષ્ટિએ જે દાન કરે છે તેનામાં દાનરૂચિનો અભાવ ગણાય અને એ દાન માનવભવનું કારણ બનવા પામતું નથી! ફલાણાએ ગમે એટલા ભર્યા હોય, પણ મારે તો મારી શકિત પ્રમાણે આટલા ભરવા જ જોઈએ, આ સંસારરૂપી હોળી છે અને જે કાંઈ અહીં પડયું રહે છે તે સઘળું ભમીભૂત થઈ જાય છે, ઊલટું એમાંથી બચાવીને ધર્મને માગે આપ્યા છે તે જ બચ્યા છે એવી જ્યાં સમજણ છે તે જ સ્થાને દાનરૂચિ છે.
ત્રીજું શું જોઈએ ? હવે ત્રીજી વાત વિચારે. સ્વભાવે પાતળા કષાયે હોય અને દાનરૂચિપણું હોય, છત જે દુર્ગુણોથી યુક્ત હોય, લુચ્ચે, નિંદાબાર, નિર્ભ જળ અને નીતિ-હીન હોય, તે આત્મા પણ માનવભવ ન જ બાંધી શકે. જેનામાં સ્વભાવે પાતળા કષાય હાય; જેનામાં ઢાનરૂચિપણું હોય, લજજાળુ, દાક્ષિણ્ય આદિ સગુણો હોય તે તેવા જ ગુણવાળો માનવભવ બાધી શકે છે. તમે આ મહાપવિત્ર એવું ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છે, તે છતા આ ત્રણ વસ્તુ તમારે મેળવવી. કેટલી મુશ્કેલ છે ? તે પછી જે આતમાં અજ્ઞાન છે, જેનામાં જ્ઞાનનો ઉદ્દભવ થયે જ નથી, તેને એ વસ્તુ મેળવવી કેટલી મુશ્કેલ હોય ? તેનો વિચાર કરો. આટલા જ માટે કારણ દ્વારા માનવભવ કે મુશ્કેલ છે તે જણાવવામાં આવ્યું છે.
માનવભવ આટલે દુલલ છે તેને મેળવવા માટે આપણે આત્માને કઈ દિવસ પૂછયું છે કે મારામાં આ ત્રણે ગુણે છે કે નહિ ? અને આ ત્રણ ગુણો જે નહિ હોય તો ફરી માનવભવ મળી શકે નહિ. તેમજ હું કેણ છું ? કયાંથી આવ્યો છું ? કયાં જવાનો છુ ? તે વિચાર હરહંમેશ કરશે તો આપોઆપ પાતળા કષાય વગેરે ગુણેને કેળવવા મન થશે અને પરિણામે વિસ્તાર પામશે.