SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૩ દેશવિરત નામે પાંચમા ગુણસ્થાનમાં અગિયાર પ્રતિમાઓ અથવા શ્રેણીઓ આ પ્રકારે છે– (૧) દર્શન, (૨) વ્રત (૩) સામાયિક, (૪) શ્રેષધ (૫) સચિત્ત ત્યાગ, (૬) રાત્રિભુત્યિાગ, (૭) બ્રહ્મચર્ય, (૮) આર ભ ત્યાગ, (૯) પરિગ્રહ ત્યાગ, (૧૦) અનુમતિ ત્યાગ, (૧૧) ઉદ્દિષ્ટ ત્યાગ. उत्तमखमामद्दवजवसञ्चसउधं च संजमं चे व । तवतागमकिंचण्हं बम्हा इदि दसविहं होदि ॥७०॥ ઉત્તમ ક્ષમા, ઉત્તમ માઈવ, ઉત્તમ આજીવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમત્યાગ, ઉત્તમ આર્કિચન્ય અને ઉત્તમ બહાચર્ય; એ દશ પ્રકારે મુનિધર્મ છે. णिच्छयणयेण जीवो सागारणगारधम्मदो भिण्णो । मझत्यभावणाए सुद्धप्पं चिंतये णिचं ॥८॥ નિશ્ચયનયથી આ જીવ શ્રાવક કે મુનિધર્મ એ બનેથી ભિન્ન છે. એટલા માટે વીતરાગ ભાવનાથી માત્ર શુદ્ધાત્માન નિત્ય અનુભવ કરે જોઈએ. એ જ નિશ્ચય સમ્યફચારિત્ર છે. मोक्खगया जे पुरिसा अणाइकालेण बारअणुवेक्खं । परिभाविऊण सम्म पणमामि पुओ पुओ तेसि ॥८९॥ અનાદિ કાળથી જેટલા મહાપુરુષે મોક્ષે ગયા છે તે અનિત્યાદિ બાર ભાવનાઓની સમ્યફ (ભલે) પ્રકારે ભાવના કરવાથી ગયા છે એટલા માટે એ બાર ભાવનાઓને વાર વાર નમસ્કાર કરું છું. (૫) શ્રી કુંદકુંદાચાર્ય ચારિત્રપાહુડમાં કહે છે – जं जाणइ तं गाणं जं पिच्छइ तं च दंसणं भणियं । णाणस्स पिच्छियरस य समवण्णा होइ चारित्तं ॥३॥ જે જાણે છે તે જ્ઞાન છે, જે શ્રદ્ધા કરે છે તે સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનના સાગથી ચારિત્ર હેય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy