SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૩ પાંચ સમિતિ આ પાંચ મહાવતની રક્ષા માટે પાંચ સમિતિ પાળે છે. પ્રમાદરહિત વર્તનને સમિતિ કહે છે. ઈસમિતિ – રહિત પ્રાક, પહેલાં બીજા છ ઉપર ચાલ્યા હોય તેવી ભૂમિ ઉપર દિવસના પ્રકાશમાં ચાર હાથ આગળ નજર રાખીને ચાલવું. ભાષાસમિતિ–શુદ્ધ મિષ્ટ (મધુર) હિતકારીભાષા બોલવી. એષણાસમિતિ–સાધુને માટે ન બનાવ્યું હોય તેવું શુદ્ધ ભજન ભિક્ષાવૃત્તિથી લેવું. આદાનનિક્ષેપણસમિતિ –ાઈ વસ્તુને દેખીને રાખવી ઉઠાવવી. પ્રતિષ્ઠાપના અથવા ઉત્સસમિતિ –મળમૂત્ર નિર્જતુ જમીન ઉપર જોઈને કરવાં. ' ત્રણ ગુપ્તિ –મનને વશ રાખી ધર્મધ્યાનમાં જોડવું તે મનેગુપ્તિ છે. મૌન રહેવું અથવા શાસ્ત્રોક્ત વચન કહેવું તે વચનગુપ્તિ છે. એક આસને બેસવું, અથવા ધ્યાન સ્વાધ્યાયમાં કાયાને જોડવી તે કાયગૃપ્તિ છે. આ તેર પ્રકારનું સાધુનું ચારિત્ર છે. સાધુ નિરંતર ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે છે. એ પાંચ મહાવ્રતની દઢતા માટે એક એક વ્રતની પાચ પાંચ ભાવનાઓ છે જેના ઉપર ઘતી ધ્યાન રાખે છે. (૧) અહિસાવતની પાંચ ભાવનાઓ –(૧) વચનગુપ્તિ (૨) મગુપ્તિ (7) ઈર્ષા સમિતિ, (૪) આદાન નિક્ષેપણ સમિતિ (૫) અવલોક્તિ પાનભેજનદેખી તપાસીને ભોજન કરવું. ૨) સત્યવ્રતની પાંચ ભાવનાઓ (૧) ક્રોધને ત્યાગ (૨) લાભને ત્યાગ, (૩) ભયને ત્યાગ, (૪) હાસ્યનો ત્યાગ, કેમકે આ ચારને વશ થઈ અસત્ય બોલી જવાય છે, (૫) અનુવાચિભાષણ શાસ્ત્રોક્ત વચન કહેવું
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy