SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ રાનામાં મતિ, શ્રુત પરાક્ષ છે, કારણ કે ઇન્દ્રિય અને મનથી થાય છે, પરંતુ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છેકારણ કે આત્માથી જ થાય છે. શ્રુતજ્ઞાન જ કેવલજ્ઞાનનુ કારણ છે... એ ચાર જ્ઞાનેમાં શ્રુતજ્ઞાન જ એવુ જ્ઞાન છે કે જેનાથી શાસ્ત્રજ્ઞાન થાય છે અને આત્માનુ ભેદવજ્ઞાન થાય છે કે આ આત્મા રાગાદિ ભાવક, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય અને શરીરાદિ નેાકથી ભિન્ન છૅ, સિદ્ધસમ શુદ્ધ છે. જેને આત્માનુભવ થાય છે તે જ ભાવશ્રુતજ્ઞાન પામી જાય છે. એ આત્માનુભવ જ કૈવલજ્ઞાનના પ્રકાશ કરી દે છે. કાઈ યાગીને અવધિજ્ઞાન કે મનઃ ય જ્ઞાન ન પણુ હાય તા પણ શ્રુતજ્ઞાનના ખળથી કેવલજ્ઞાન થઈ શકે છે. અવધિ મનઃપ યજ્ઞાનના વિષય ઈ શુદ્ધાત્મા નથી, એ તેા રૂપી પદાર્થને જ જાણે છે જ્યારે શ્રુતજ્ઞાન અરૂપી પદાર્થાને પણ જાણી શકે છે. એટલા માટે શ્રુતજ્ઞાન પ્રધાન છે. માટે આપણે આટલું કરવા યોગ્ય છે કે આપણે શાસ્ત્રનાનના વિશેષ અભ્યાસ કરતા રહેવુ કે જેથી આત્માનુભવ પ્રાપ્ત થાય. એ જ સહજ સુખનું સાધન છે, અથવા એ જ ધ્રુવલનાનના પ્રકાશ કરનાર છે. ચાર દશનાપયોગઃ—પહેલાં બતાવી ગયા છીએ કે જીવને એળખવા માટે આઠ જ્ઞાન અને ચાર દર્શન એ સાધન છે. દર્શન અને જ્ઞાનમાં ફેર એ છે કે જ્ઞાન સાકાર છે, દન નિરાકાર છે. દનમાં પદાના ખાધ થતા નથી. ખેાધ થવા માંડે છે ત્યારે તેને જ્ઞાન કહેવાય છે. જે સમયે આત્માના ઉપયેગ કાઈ પદાર્થને જાણુવાની તૈયારી કરે છે ત્યારે દન હેાય છે. તે પછી જે કઈ ગ્રહણ થાય છે તે જ્ઞાન છે. કાનમાં શબ્દ આવતાં ઉપયાગ ત્યાં ગયા અને શબ્દ જાણ્યા નથી ત્યાં સુધી દર્શન છે. જ્યારે જાણી લીધું કે શબ્દ છે ત્યારે જ્ઞાન કહેવાય છે. અલ્પજ્ઞાનીઓને દનપૂર્વક મતિજ્ઞાન હોય છે, મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન હોય છે. સમ્યગ્દષ્ટિ મહાત્માએને અવધિદૃનપૂર્વક અવધિજ્ઞાન હેાય છે, કેવલજ્ઞાનીને ધ્રુવલ'ન કેવલજ્ઞાનની
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy