SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ જેને સુમતિ ઉત્પન્ન થઈ છે, જે બેગથી વિરાગી થયા છે, દેહાદિ પરસંગને ત્યાગીને લયમાં જે પુરા (શુરવીર થયા) છે, જેની રહેણી રાગદ્વેષાદિક ભાવથી રહિત છે, તે કદી ઘરમાં કે ધનમાં મગ્ન રહેતા નથી. જે નિશ્ચયથી પિતાના આત્માને સર્વાગ શુદ્ધ માને છે અને તેથી તેના મનમાં કઈ પ્રકારે કદાપિ વિકલતા (જામ) વ્યાપતી નથી; એવા જે જીવ છે તે જ મેક્ષમાર્ગના સાધક કહેવાય છે. પછી ગમે તે તે ઘરમાં રહે છે વનમા રહે. સવૈયા-ર૩, જે કબહૂ યહ જીવ પદારથ, સર પાય મિથ્યાત મિટાવે; સમ્યક ધાર પ્રવાહ વહે ગુણ, જ્ઞાન ઉ મુખ ઉરધ ધાવે, તે અભિઅંતર દવિત ભાવિત, કર્મ કલેશ પ્રવેશ ન પાવે, આતમ સાધિ અધ્યાતમકે પથ, પુરણ ગહે પરબ્રહ્મ કહાવે. ૪. અ.. જે કદાપિ આ જીવ નામને પદાર્થ અવસર પામીને, કાળલધિ પામીને, મિથ્યાત્વને નાશ કરી દે અને સમૃકવ ગુણની પરિણતિમાં પરિણમે, તે જ્ઞાનને ઉદય થાય અને ઉદ્ઘલેક (સિદ્ધિ) પ્રતિ ગમન કરે. તે જ્ઞાનના પ્રભાવથી અત્યંતર દ્રવ્ય અને ભાવકર્મરૂપ કલેશ લેશ પણ પ્રવેશ કરી શકે નહિ. તેથી અધ્યાત્મના માગે આત્માને આરાધી આત્મસ્વરૂપની પરિપૂર્ણ અપ્તિ કરે અને ત્યારે પરબ્રહ્મ કહેવાય. ભેદિ મિથ્યાત્વ સુદિ મહાસ, ભેદવિજ્ઞાન કલા જિનિ પાઈ; જો અપની મહિમા અવધારત, ત્યાગ કરે ઉરસ જુ પરાઈ. ઉદ્ધત રીત બસે જિનકે ઘટ, હેત નિરંતર જ્યોતિ સવાઈફ તે મતિમાના સુવર્ણ સમાન, લગે તિનકેન શુભાશુભ કાઈ. ૫. અ. જેણે મિથ્યાત્વને નાશ કરી ઉપશમરૂપ મહારસને સમ્યફ પ્રકારે અનુભવી ભેદજ્ઞાનની કલાને પ્રાપ્ત કરી છે, જે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ આત્મમહત્તાને ધારણ કરે છે. હૃદયમાંથી દેહાદિક
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy