SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ વૃદ્ધિ થતાં રોગી દુઃખી થાય છે, અજ્ઞાની લેભી વૈદ્ય-ડૉકટર સુખી થાય છે. એક જ રસોઈમાં જમવાવાળા બે પુરુષ છે. જેને ઈચ્છાનુ. કુળ રસાઈ મળી છે તે સુખી થઈ રહ્યો છે, જેની ઈચ્છાથી વિરુદ્ધ રસંઈ છે તે દુખી રહ્યો છે. જેવી રીતે પુગલને ર્તા પુગલ છે તેવી રીતે પુગલને ઉપભોગ કર્તા પુદગલ છે. નિમિત્ત કારણ છવનો રોગ અને ઉપગ છે. શરીરમાં શરદી થઈ, શરદીનો ઉપભોગ પુગલને થયે, પુદગલની દશા પલટાઈ, જીવને શરીર ઉપર મમત્વ છે. રાગ છે, તેથી તેણે શરદીની વેદનાને દુઃખ માની લીધું. જ્યારે ગરમ કપડું શરીર ઉપર ઓઢયુ, શરીરે ગરમ Wડાને ઉપગ કર્યો. શરીરની દશા પલટાઈ, ત્યારે રાગી છ સુખ માની લીધું. સ્ત્રીને ઉપભોગ પુરુષનું અંગ, પુરુષનો ઉપગ સ્ત્રીનું અંગ કરે છે. પુદ્ગલ જ પુક ગલની દશાને ફેરવે છે. રાગભાવથી રાગી સ્ત્રી પુરુષ સુખ માની લે છે. એટલે વિશેષ રાગ તેટલું વિશેષ સુખ કે તેટલું જ વિશેષ દુખ થાય છે. એક માનવને પુત્ર ઉપર બહુ જ અધિક રાગ છે. તે પુત્રને દેખીને અધિક સુખ માને છે, તે પુત્રને વિગ થઈ જાય છે ત્યારે તેટલું જ અધિક દુઃખ માને છે. જે જ્ઞાની એમ સમજે છે કે હું વસ્તુતાએ શુદ્ધ આત્મદ્રવ્ય છું, મારું નિજ સુખ મારે સ્વભાવ છે, હું તે જ સાચા સુખને સુખ સમજું છું, તેને ભોગ મને હિતકારી છે, તે સંસારથી વૈરાગી હોવા છતાં જેટલા અંશે કષાયને ઉદય છે તેટલા અંશે બાહ્ય પદાર્થોના સંગ વિચગમાં સુખ દુખ માને છે પણ અજ્ઞાનીની અપેક્ષાએ તે માનવું કેટિગણું ઓછું હોય છે. જનને સારી રીતે ખાતાં છતાં પણ રસના ઇન્દ્રિયથી રસનાસ્વાદને જાણે છે, અથવા તૃપ્તિ પણ માને છે, છતાં રસના ઈન્દ્રિય જનિત સુખ પ્રત્યે અલ્પરાગને કારણે તેને અ૫ જ (તુચ્છ) માને છે. તેવી રીતે ઇચ્છિત પદાર્થ ખાવા નહિ મળતાં અ૫રાગને લીધે અલ્પ જ દુખ માને છે. વસ્તુ સ્વભાવ એ છે કે જીવ સ્વભાવથી સહજસુખને જ ભક્તા છે. કષાયના ઉદયથી જે વિભાવભાવ થાય
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy