SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ પુદ્ગલના સ્કંધ અનેક આકારના ગેળ, ચોરસ, ત્રિકેણ, મેટા નાના બને છે. એક પરમાણુને એક પ્રવેશ માત્ર આકાર છે. ધર્મ અને અધર્મદ્રાવ્ય બંને કાકાશ પ્રમાણુ વ્યાપક છે. આકાશને અનન્ત આકાર છે. કાલાણું અસંખ્યાત કાકાશના પ્રદેશોમાં એક એક અલગ અલગ છે. કદી મળતા નથી, એટલા માટે એક પ્રદેશ માત્ર દરેક કાલાણને આકાર છે. છ દ્રવ્યોની સંખ્યા -ધર્મ, અધર્મ, આકાશ એક એક દ્રવ્ય છે, કાલાણું અસંખ્યાત છે, જીવ અનંત છે, પુગલ અનંત છે. પાંચ અસ્તિકાય:--જે દ્રવ્યને એકથી અધિક પ્રદેશ છે તે અસ્તિકાય કહેવાય છે. કાલને એક જ પ્રદેશ હોય છે. કાલને છોડીને શેષ પાંચ દિવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અસ્તિકાય છે. જીવ દ્રવ્યનાં નવ વિશેષણ -(૧) જીવવાવાળે છે, (૨) ઉપયોગવાળો છે, (૩) અર્તિક છે, (૪) કર્તા છે. (૫) ભક્તા છે, (૬) શરીર પ્રમાણ આકારધારી છે, (૭) સસારી છે, (૮) સિદ્ધ પણ થઈ જાય છે, (૯) સ્વભાવથી અગ્નિની જ્વાલાની માફક ઉપર જવાવાળો છે. એને વિસ્તાર નીચે પ્રમાણે છે – તેનું કથન કરતી વખતે નિશ્ચયનય તથા વ્યવહારનયને ધ્યાનમાં રાખવા જોઈએ. જે અપેક્ષાએ વસ્તુને મૂળ નિજ સ્વભાવ જાણે. જાય તે નિશ્ચયનય છે. શુદ્ધ નિશ્ચયનય શુદ્ધ સ્વભાવને અને અશુદ્ધ નિશ્ચયનય અશુદ્ધ સ્વભાવને બતાવે છે. વ્યવહારનય તે છે કે જે પરપદાર્થને કઈમાં આજે પણ કરીને તેને પરરૂપ કહે, જેમ જીવને ગેરે કહે, ને તે શરીર છે. અહીં શરીરને આરોપ છવમાં કરીને સાગને બતાવવાવાળા વ્યવહારનય છે. કેઈવાર કયાંક અશુદ્ધ નિશ્ચયનયને પણ વ્યવહારનય કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનય શુદ્ધ સ્વભાવને જ બતાવે છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy