SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ થવી તેને જ પલટવું અથવા પરિવર્તન કહે છે. કહેત કપડાને જે સમયે રંગમાં બન્યું તે જ સમયે શ્વેતપણું પલટાઈ રંગવાળુ થયું. તપણને વ્યય અને રંગીનપણને ઉત્પાદ થયો. ચણાના દાણાને હથેળીમાં મસળવામાં આવે ત્યાં ચણાની દશા નાશ પામી ચૂરાની દશા બની જાય છે. કેમ કે અવસ્થાનું પલટાવું થતું હોવા છતાં પણ જે દ્રવ્યની અવસ્થા પલટાય છે તે દ્રવ્ય તે કાયમ રહે છે. એટલા માટે ઉત્પાદ વ્યય ધૌવ્ય સતનું લક્ષણ કરવામાં આવ્યું છે. પર્યાય પલટાય છે તે અપેક્ષાએ ઉત્પાદ વ્યયપણું અને મૂળ વ્ય કાયમ રહે છે તે અપેક્ષાએ ધ્રુવપણું સિદ્ધ છે, એટલા માટે દ્રવ્યને નિત્ય અનિત્યરૂપ ઊભયરૂપ કહેવાય છે. દિવ્ય સ્વભાવથી નિત્ય છે, દશા પલટાય છે તે અપેક્ષાએ અનિત્ય છે. જે દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્યપણું ન હોય અથવા નિત્ય અનિત્યપણું ન હોય તે કઈ દ્રવ્ય કઈ પણ કામ આપી શકે નહિ. જે દ્રવ્ય સર્વથા નિત્ય જ હોય તે તે તેવું ને તેવું જ રહે, જે સર્વથા અનિત્ય હેય તે ક્ષણભરમાં નાશ થઈ જાય. જે તે કાયમ રહે નહિ તે તેનાથી કંઈ કામ નીકળે નહિ; જો સેનું એકપણે જ કાયમ રહે, તેનાથી કડું વાળી, કંઠી, અંગૂઠી ન બને તે તે વ્યર્થ જ કરે, તેને કેઈપણ ખરીદે નહિ. જે સુવર્ણ અનિત્ય હેય, કાયમ રહે નહિ તે પણ તેને કોઈ ખરીદે નહિ, તેમાં કાયમ રહેવાની તથા બદલાવાની શક્તિ એક જ સાથે છે અથવા તે એક જ સમયે નિત્ય અનિત્ય ઉભયરૂપ છે તે જ તે કાર્યકારી થઈ શકે છે. તે ઉત્પાદ વ્યય ધ્રૌવ્યપણું સતનું લક્ષણ સયદ્રામાં હોય છે જીવોમાં પણ છે. જેમ કે કેઈ ફોધી થઈ રહ્યો છે, જ્યારે દેધને નાશ થાય છે ત્યારે ક્ષમા કે શાંતભાવનો જન્મ થાય છે અને આત્મા ધ્રૌવ્યરૂપ જ રહે છે. કેઈ આમાને ગણિતમાં સરવાળા કરવાનું જ્ઞાન નહોતું. અર્થાત્ સરવાળાના નિયમનું અજ્ઞાન હતું. જ્યારે સરવાળા
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy