SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્ન સત્તાવાળા છે અને તેથી જ એક જ સમયમાં કઈ શરીરને ધારણ કરે છે તે કઈ શરીરને ત્યાગે છે, કેઈ દુઃખી હોય છે તે કેાઈ સુખી હોય છે, કેઈ ક્રોધી હોય છે તે કઈ શાંત હોય છે, કોઈ વિશેષ જ્ઞાની છે તે કઈ ન્યૂનજ્ઞાની છે, કેઈ સૂતા છે તો કેઈ જાગે છે, કઈ શીખવે છે તે કઈ શીખે છે, કેઈ લડે છે તે કઈ પ્રેમ કરે છે, કેઈ ખાય છે તે કઈ મલમૂત્ર કરે છે, કે રડે છે તો કોઈ હસે છે, કેઈ ન્યાય કરે છે તે કઈ શિક્ષા પામે છે, કેઈ લખે છે તે કઈ રગે છે, કેઈ દળે છે તે કઈ હળ ફેરવે છે, કેઈ સીવે છે તે કઈ જોવે છે, કેઈ ન્હાય છે તે કઈ કપડાં પહેરે છે, કેઈ કપડાં ઉતારે છે તે કોઈ ધ્યાન કરે છે, કઈ ગાય છે તે કઈ વગાડે છે એમ સર્વની પ્રત્યક્ષ ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે તેથી સર્વ જીવ ભિન્ન ભિન્ન છે તેથી સર્વની ક્રિયાઓ પ્રગટ અભિન્ન દેખાય છે. બધાની એક સત્તા હેઈ શકતી નથી. એક જ જીવની સત્તા માનીએ તે આ બધી ક્રિયાઓ એક જ વખતે બનાવી સભષે નહિ. એક જ સમયમાં એક ચોરી કરે છે, એક રક્ષા કરે છે, એક મારે છે, એક બચાવે છે, એક શીલભ ગ કરે છે, એક શીલરક્ષા કરે છે, એક ગાય છે, એક દાન કરે છે, એક દાન પામે છે. વિશ્વમાં જેટલા પ્રકારનાં શરીર ધારણ કરી શકાય છે, લગભગ તેટલાં બધા શરીરને એક જીવ પુનઃ પુનઃ જન્મ લઈને અને મરીને ધારણ કરી લે પરંતુ એક જીવ બીજા છવની સાથે મળી કઈ વખત એક થઈ શકતા નથી, તેમ એક જીવના વિભાગ થઈ બે જીવ કે અનેક ‘જીવ બની શકતા નથી. જીવ અમૂર્તિક પદાર્થ છે. જેટલા અમૂર્તિક પદાર્થો છે તે ન તો કઈ વખત પરસ્પર બધાય છે કે ન તેમના વિભાગ કે ખડ હેય છે. મળવાપણું–છૂટા થવાપણું પરમાણુઓમાં હોય છે પણ તે મૂર્તિ છે, પરમાણુ પરસ્પર મળીને અંધ બની જાય છે. ધના ખંડ થઈને પરમાણુ થઈ જાય છે. તે પ્રમાણે છો મળી ન તે સ્કંધ થાય છે કે ન તેના ખંડ થાય છે. -
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy