SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ છે, તેથી પુણ્યના ઉદયે જેને ઇચ્છિત વિષયોગ મળે તે ઇન્દ્રિયસુખ પામી શકે, દરેક પ્રાણી પામી શકે નહીં. પરોપકારીશ્રી ગુરુ જગતના પ્રાણીઓને સહજસુખ ક્યાં છે. તે બતાવે છે કે આ સુખ કે જડ પદાર્થમાં નથી કે નથી એ બીજા પાસેથી કેઈને મળી શકતું. આ સુખ પ્રત્યેકના આત્મામાં છે. આત્મામાથી જ કેઈ પરવસ્તુની સહાયતા વિના પ્રત્યેકને મળી શકે છે. આ સ્વાધીન છે, પ્રત્યેકની પિતાની સંપત્તિ છે. પ્રત્યેક જીવ આ સુખ ભડારને ભૂલ્યો છે. તેથી મૃગતૃષ્ણાની માફક દુખિત છે, સંતાપિત છે. સુખને માટે ઈકિયેના વિષયમાં ભટકે છે, પરંતુ સુખ પામી શકતો નથી, તેથી સુખી થઈ શકતો નથી, સંતાપ મટાડી શકતો નથી, સંસારના દુઃખને અંત કરી શકતો નથી. સંસારનાં દુખે, ઇકિયસુખની તૃષ્ણને વશ થયેલ પ્રાણીઓને સહન કરવાં પડે છે. હવશ, ભ્રમવશ, અજ્ઞાનવશ પ્રાણી પિતાની પાસે અમૃત હેવા. છતાં પણ તેને પત્તો લાગ્યો નથી એટલે દુઃખી થઈ રહ્યો છે. સંસાર, શરીર અને ભેગેનું શું સ્વરૂપ છે એ બરાબર સમજી જે કઈ આ દુઃખમય સંસારથી પાર થવા ઈચછે, આ અપવિત્ર શરીરના કેદખાનામાંથી સદાને માટે છૂટવા ઈચછે, આ નીરસ વિષે ની છેતરામણીથી બચવા ઈચ્છે, અને સદા સુખમય જીવન વ્યતીત કરવા ઈચ્છે, તેને ઉચિત છે કે તે આ સહજસુખ પ્રત્યે પોતાને વિશ્વાસ દઢ કરે. રત્નને ઓળખી ઝવેરી બને. ઈદિયસુખરૂપી કાચના કટકાને રત્ન સમજી પોતાની જાતને ન છેતરે. સહજસુખ પિતાની, પાસે છે, પિતાને જ સ્વભાવ છે, પિતાને જ ગુણ છે, એમ જાણી પ્રત્યેક વિચારશીલ મનુષ્ય અતિ હર્ષિત થવું જોઈએ. બરાબર રીતે પિતાના આત્માને જાણવો જોઈએ. તેના સાધનેને સમજી લેવા જોઈએ કે જેથી પિતાને સહજસુખ મળી શકે આ સાધનને લક્ષ રાખી આગળ કથન કરીશું. જૈનાચાર્યોને આ સહજસુખના સબંધમાં શું અભિપ્રાય છે તે હવે ટાંકું છું.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy