SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શનની સંકલન ૩૯૫ (“ તથા ચાર અધ્યાયની શારીરકમીમાંસા છે. જીવ અને બ્રહ્મના એકત્વને સાક્ષાત્કાર એ એનું પ્રયોજન છે. એમાં શ્રવણરૂપી વિચાર દર્શાવનારી દલીલો બતાવી છે. અને એ ભગવાન બાદરાયણે કરેલી છે આ જ સર્વ શાસ્ત્રના શિરઃસ્થાને છે. બીજા બધાં શાસ્ત્ર આનાં જ અંગભૂત છે. તેથી આ શાસ્ત્ર પ્રત્યે જ મેક્ષની ઈચ્છા રાખનારાઓએ આદર કર –અને શ્રી શંકર ભગવાને કહેલે પ્રકારે જ—એમ રહસ્ય છે.”). (૬) “તથા સાહચરાધે માતા પિન કરતા પહ ध्यायमू...। प्रकृतिपुरुषविवेकज्ञानं सांख्यशास्त्रस्य प्रयोजनम्।" =(“ તથા સાંખ્યશાસ્ત્ર ભગવાન કપિલે રચેલું છે. એના છ અધ્યાય પ્રકૃતિપુરુષના વિવેકનું જ્ઞાન એ સાખ્યશાસ્ત્રનું પ્રયોજન છે.) (६) " तथा योगशास्त्रं भगवता पतनलिना प्रणीतम् ।...तस्य च विजातीयप्रत्ययनिरोधद्वारेण निदिध्यासनसिद्धिःप्रयोजनम्।" = (“તથા ગશાસ્ત્ર ભગવાન પતંજલિએ રચ્યું છે. વિજાતીય પ્રયત્ન” યાને અન્ય જાતિના વિચારને નિરોધ કરીને, નિદિધ્યાસન યાને ધ્યાન સિદ્ધ કરવું એ એનું પ્રયોજન છે.”) છેવટે સઘળાં પ્રસ્થાને યાને માર્ગમાં ત્રણ ભેદ–આરંભવાદ, પરિસુમવાદ, અને વિવર્તવાદ એમ ત્રણ ભેદ–પાડી, મધુસુદનસરસ્વતી કહે છે___"सर्वेषां प्रस्थानकर्तृणां मुनीनां विवर्तवादपर्यवसानेन अद्वितीयपरमेश्वर एव प्रतिपाये तात्पर्यम् । न हि ते मुनयो भ्रान्ताः सर्वज्ञत्वात्तेषाम् । किंतु बहिर्विषयप्रवणानामापाततः पुरुषार्थ प्रवेशो न संभवतीति नास्तिक्यवारणाय तैः प्रकारभेदाः प्रदर्शिताः तत्र तेषां तात्पर्यमबुद्ध्वा वेदविरुद्धेऽप्यर्थं तात्पर्यमुत्प्रेक्षमाणास्तन्मतमेवोपादेयत्वेन गृह्णन्तो जना नानापथजुषो भवन्ति ॥" =“સર્વ માર્ગ રચનાર મુનિઓનું તાત્પર્ય વિવર્તવાદમાં પર્યવસાન પામી-અદ્વિતીય પરમેશ્વરનું પ્રતિપાદન કરવાનું છે. એ મુનિઓ ભ્રાન્ત ન હતા; કારણ કે તેઓ સર્વજ્ઞ હતા. પણ બહિવિષય તરફ જેઓનું મન લાગેલુ છે તેમને સહેલાઈથી પુરુષાર્થ (પરમ પુરુપાર્થ) માં પ્રવેશ થઈ શકતું નથી–તેથી તેઓને નાસ્તિક થઈ જતા અટકાવવા માટે (તત્વના) જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. ઉપર કહેલા અદ્વિતીય બ્રહ્મવાદમાં તેઓનું તાત્પર્ય છે એ ન સમજીને વેદથી જે બાબતે વિરુદ્ધ છે તેમાં પણ તેઓનું
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy