SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ શાંકર સિદ્ધાન્ત અને વેગ એનું જ્ઞાન દઢ થયું, એટલે એમાં કલ્પિત જે ચિત્ત અને એથી દેખાતું જે જગત , એ સર્વને બાધ થઈ એ દેખાતાં મટી જાય એ બન્ધબેસતું છે. તેથી જ ભગવત પૂજ્યપાદે કઈ પણ ઠેકાણે બ્રહ્મજ્ઞાનીઓને માટે ચોગની જરૂર બતાવી નથી, અને તેથી જ વેદાન્તી પરમહંસ બ્રહ્મસાક્ષાત્કાર માટે ગની દરકાર ન કરતાં શ્રુતિએ કહેલો વેદાન્તવાક્યને વિચાર કરવા ગુરુ પાસે જાય છે. વિચાર(જ્ઞાન)વડે જ ચિત્તને દેષ કાઢી શકાય છે. અને તેથી વેગ દેષ કાઢવાનું સાધન નથી.” શાંકર સિદ્ધાન્તનું વિચારપ્રધાન અને ગવિમુખ સ્વરૂપ બતાવવા માટે આ કરતાં કયા શબ્દો વધારે સ્પષ્ટ હોઈ શકે ? છતાં બીજા શાંકર વેદાન્તીને એમ અનુભવમાં આવે કે “બહુ વ્યાકુલ ચિત્તવાળા અને વિચાર માત્રથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, તે તેમને ચિત્તને વેગ શાન્ત કરવા માટે ગ–અર્થાત્ રાજયોગને જ એ ઉપદેશ કરે એ સ્વાભાવિક છે. પરંતુ બેમાંથી એકેને હઠયોગ વિવક્ષિત છે એમ ન સમજવું. ટૂંકામાં સાર કે– (૧) શાંકરસિદ્ધાન્તમાં અષ્ટાંગયોગને નિષેધ છે એમ કહેવામાં મને હઠયોગરૂપી અષ્ટાંગ યોગને નિષેધ જ વિવક્ષિત હતો. (૨) હઠયોગ શાંકર સિદ્ધાન્તમાં અનભિમત છે–એનું એક પ્રમાણ, હઠયોગની ક્રિયાઓને સ્પષ્ટ નિષેધીને અને અથનર પમાડીને “અપક્ષાનુભૂતિ "માં કરેલું પંચદશાંગ રાજયોગનું પ્રતિપાદન. બીજું પ્રમાણ, ભગવગીતાના હઠાગને ટેકે આપતાં વચને પણ શંકરાચાર્યે રાજગમાં ઘટાવ્યાં એ વાતમાંથી સ્પષ્ટ જણાઈ આવતે એમને હઠાગમાં અસ્વરસ. અને ત્રીનું પ્રમાણ, ગપ્રત્યાખ્યાનના વેદાન્તસૂત્રના ભાષ્યમાં પેગસ્કૃતિના સારા કે આમાં કઈને એમ શંકા થાય કે મધુસૂદનસરસ્વતીએ તે આ માત્ર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી ચૂકેલા માટે જ કહ્યું છે, તે એને ઉત્તર કે પ્રકરણનો પૂર્વાપર સંબંધ તથા અત્રે “ ગુપત્ન' એ શબ્દો આ કલ્પનાને વારે છે. ગીતાના સઘળા ટીકાકારમાં નીલકંઠને યોગ માટે અધિક આગ્રહ છે અને એણે મધુસૂદનસરસ્વતીના આ વાક્યનું ખંડન કરવા યત્ન કર્યો છે પણ એ માટે “થતો #વિજ્ઞાસા' એ સૂત્રના ભાષ્યમાં શંકરાચાર્યે જે સાધન ચતુષ્ટય બતાવ્યાં છે તેમાં સમાધિ આવે છે એ કરતાં એ અધિક પ્રમાણ બતાવી શકયો નથી. એ સમાધિ તે તે રાજયોગનું અંગ છે એ આપણે જાણીએ છીએ.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy