SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ "C હારી ૩૦૩ ' ,, ન્યાયને બન્ને દયા પ્રેમ દાખલ થયા એમ કહેવાય છે. કેટલાક ટ્રાક આ ભાવનાને વલ ખ્રિસ્તી સમજે છે, પણ તેમ નથી. ભગવદ્ગીતામાં એક સ્થળે પરમાત્માને સચરાચર લેાકના ‘પિતા’ કહેયેા છે, એને ઋગ્વેદસંહિતામાં પણ પિતાનું રૂપક અજાણ્યું નથી. એક ઋષિ કહે છે કે પિતા પુત્રને ખેાળામાં લે તેમ તું એને ખેાળામાં લે છે;”+ અને ખીજા એક ઋષિ કહે છે કે આ મીઠી વાણીવડે હે ઇન્દ્ર ' હું તને પકડી રાખું છું,—પુત્ર પિતાને વસ્ત્રના છેડે ઝાલી પકડી રાખે છે તેમ”. પરમાત્મા તે કેવળ પિતા જ નથી; પિતા છે તેમ માતા પણ છે. આ ઉભય સ્વરૂપ જે આ પ્રાકૃતિક જગમાં એકત્ર જોવામાં નથી આવતાં તે પરમાત્મામાં એકઠાં અને છે, પરમાત્મા પિતાની માફક પ્રેમપુરઃસર આપણા ઉત્કર્ષ ઇચ્છે છે એટલું જ નહિ પણ ‘શિવાનુધ્યાનપરા' માતાની ઉપમા પણ એને સારી રીતે લાગુ પડે છે. જગન્માતા અદિતિ' ઋગ્વેદમાં પ્રસિદ્ધ છે. “ સૈય વૈવñક્ષત ઇત્યાદિ ઉપનિષવાક્યમાં પરમાત્માના ‘દેવતા' તરીકે ( સ્ત્રીલિંગમાં ) પરામર્શ કર્યો છે. અને પરમાત્મયૈતિરૂપ અગ્નિહેાત્ર પરત્વે શ્રુતિ કહે છે કે “ જેમ ભૂખ્યાં છેકરાં માની આસપાસ વીંટળાઈ વળે છે તેમ સર્વ ભૂત માત્ર અગ્નિહેાત્રને ઉપાસે છે. ” અને પુરાણા તા ‘ જગદમ્બિકા 'નાં એવાં મધુર અને ભવ્ય સ્તન્નેાથી ભરેલાં છે કે જેની મરામરીમાં ક્રિશ્ચયન ધર્મની મેરીની કલ્પના પણ મૂકી શકાય એમ નથી.'શ્રીમદ્ભગવદ્ગીતામાં પરમાત્મા એકી વખતે “માતા ધાતા અને પિતામહ”રૂપે પાતાને જણાવે છે. પરમાત્માના આપણી સાથેના આ સંબંધ આટલા બધા પ્રસિદ્ધ છતાં વાસ્તવિક રીતે આપણા જીવનમાં આપણે એને કેટલા સ્વીકારીએ છીએ ? આપણે જો કે પરમાત્માથી વિમુખ રહીએ છીએ—તથાપિ એના પ્રેમ તે અનન્ત છે. આ વાતનું પ્રમાણ એટલું જ કે આપણે જો કે કાર્ટિ પાપ આચરીએ છીએ તે પણ એ સર્વ પાપને પાછળ મૂકી સારા માર્ગ લેવાની છૂટ આપણને રહ્યાજ કરે છે. અર્થાત્ પરમાત્માના ધરનાં દ્વાર આપણે માટે હમેશાં ખુલ્લાં જ છે, પરમાત્મા માતાપિતા તરીકે પ્રકૃતિ અને મનુજબાળકને, પરસ્પર જોડાઈ, મનુ અને શતરૂપા મા—આનન્દ લેતાં જોવાને ખુશી છે; આપણા સંસારવ્યવવહાર અને અનિષ્ટ નથી; પણ એ વ્યવહારનું કુળ પરમાત્માના વંશની વૃદ્ધિ રૂપ થવું જોઈએ. આપણે એના રિથના 39 + પિતય પુત્રમવિમર્શે : पिर्तुन पुत्रः सिचमारभे त इन्द्र स्वादिष्ठया गिरा शचीवः ।
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy