SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ યુધિષ્ઠિરનું અસત્યકથન " व्याजेन हि त्वया द्रोण उपचीर्णः सुतं प्रति । व्याजेनैव ततो राजन् दर्शितो नरकस्तव ॥" =“હે રાજન! તે અશ્વત્થામાની બાબતમાં કાણને મિથ્યાભાન કરાવ્યું હતું, તેવું જ મિથ્યાભાન તને આજ–આ નરકદર્શનમાં–થયું.” તાત્પર્ય કે ધર્મરાજ જેવા સત્યવાદી જીવનમાં પણ અસત્યને એક નાને સરખો દેખાતે દોષ અને તે એ વિકટ પ્રસંગે થએલો કે એને દેષ કહેતાં પણ ક્ષણવાર થોભવું પડે, –એ દોષ પણ એનું ફળ ઉત્પન્ન કર્યા વિના રહેતે નથી. આ મનુષ્યના નૈતિક જીવન (moral life) ને એક દયાહ tragedy” યાને કરુણરસજનક પ્રસંગ છે. અને એ જ મનુષ્યત્વનું ભાન કરાવનાર સાધન છે. કર્ણ જેવો અર્જુનની સમાનકોટિને વીર અસત્યને પરિણામે ખરે અણુને વખતે પિતાની અસ્ત્રવિદ્યા ભૂલી બેઠે એ પ્રસંગમાં કવિએ જે tragedy (કરુણચિત્ર) રચી છે તે કરતાં આ tragedy (કરુણુચિત્ર) જુદી જ જાતની છે, પણ જરાએ ન્યૂન નથી. કર્ણ તો પોતાની અસ્ત્રવિદ્યા ભૂલી બેઠે, પણ યુધિષ્ઠિર તે પિતાનું સ્વસ્વરૂપસત્યવાદિવ-ભૂલી બેઠે ! પહેલા કરતાં આ બીજું વિસ્મરણ ઘેડું નથી. વળી કર્ણના અસત્યનું ફળ તો આ લેકમાં જ ભગવાઈ ગયું-યુધિષ્ઠિરના, અસત્યનું ફળ સ્વર્ગમાં પણ એને નડ્યા વિના રહ્યું નહિ. આમ કલ્પવામાં કવિએ કર્મનાં ફળના નિયમની વિવિધરૂપતા દર્શાવી છે. ૭ વળી ધર્મરાજ યુધિષ્ઠિર શા માટે ડગે છે એને એક સ્કૂલ ખુલાસો મહાભારતકારે એ આપ્યો છે કે જેને માથે સગાંવહાલાં મિત્ર આશ્રિત વગેરે અસંખ્ય સ્વજનના પ્રાણ રક્ષવાની ફરજ છે તેને કર્તવ્યના અનેક વિકટ પ્રસંગે પ્રાપ્ત થાય છે, અને તેમાંથી એક “moral paradox' યાને નૈતિક વિષયની વિધગર્ભ સ્થિતિ એ ઉત્પન્ન થાય છે કે એક તરફથી એને માથે પાપ કરવાનું કર્તવ્ય (સ્વાથ સદ્ગણુ વૃત્તિથી કે વિશુ દ્વાઈના અભિમાનથી પ્રેરાઈએ ચેખો રહેવા માગે તે જુદી વાત ) આવી પડે છે અને બીજી તરફથી એ જ પાપરૂપ કર્તવ્ય (આ જ “paradox પાપને કર્તવ્ય કહેવું એ જ paradox) કરવા માટે એને શિક્ષા–નરક –ખમવું પડે છે ! આ વિષમ સ્થિતિ રાજધર્મને અંગે યુધિષ્ઠિરને પ્રાપ્ત થાય છે. માટે સ્વર્ગારેણુપર્વમાં કવિ કહે છે કે – + પરશુરામને હું બ્રાહ્મણ છું એમ મનાવી અસ્ત્રવિદ્યા શીખી લાવેલો હતે એ અસત્ય જાણવામાં આવતાં ગુરુએ શાપ દીધો કે ખરે વખતે તું વિદ્યા ભૂલી જઇશ.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy