SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને પુરુષાર્થમાં નિર્બળ બનાવનાર આગળ વધી શકતા નથી કર્મ દ્રવ્ય આપે છે, દ્રશ્યથી દૂર રાખી શકે છે, કમ ક્ષેત્ર-કાળનું નિયમન કરી શકે છે. કંઈ જીવને વિભાવદશામાં મૂકી શકે છે. પણ કર્મ આત્માના મૂળભૂળ ગુણને આપી શકતું નથી, તે તે તે દૂર થાય ત્યારે જ પ્રકટ થાય છે. દરેક જીવને સ્વકૃત કમજ ભેગવવાનું હોય છે. તેમાં બીજા સહાયરૂપ-નિમિત્ત બને છે, પણ અન્યનું કર્મ અન્યને ઉપયોગી થતું નથી. નિશ્ચિતપણે આ નિયમ છે. છતાં વ્યવહારમાં આ અંગે ચાર પ્રકાર છે. ૧ પિતાનું કરેલું કર્મ પતેજ ભોગવે – આ હકીકત તે પ્રસિદ્ધ છે. આ અંગે ઉદાહરણે શેાધવા જવા પડે એવું નથી, ૨. પિતાનું કરેલું કમ બીજા ભાગ–બીજાને લાભ આપે. આ વાત મૂળભૂત નિયમથી વિરુદ્ધ જેવી લાગે, પણ વાસ્તવમાં એવું નથી. આ બીજા પ્રકારને કારણે જ જીવ એક બીજા ઉપર ઉપકાર કરી શકે છે. “ શો શાળા એ તત્વાર્થ સૂત્રનું પણ એ રહસ્ય છે, એટલે કેટલાક કર્મ એવા હોય છે કે જેને સીધો ઉપયોગ પિતાને કશે ન હેય ને તે બીજાને સાસં યા માઠું ફળ આપતું હોય, જેમ વિશલ્યાને હાથે અપાએલી ઔષધિ લક્ષ્મણને શલ્ય રહિત કરવા સમર્થ બની. એમાં વિશલ્યાને એવા કમને ઉદય હતું કે તેને હાથે જ શલ્ય માટે પિતાને એ કર્મનું કાંઈ સીધુ ફળ નથી તેને લાભ તે બીજાને મળે છે. કર્મસિદ્ધાંત અને ઉપર ઉપરથી જણાતા આ વિધ ખરેખર વિરોધ નથી, એક યશઃ આદિ નામકર્મ વેદે છે, જ્યારે બીજાને સાત વેદનીય આદિ કમી વેરાય છે. આમ એક-બીજાને સાકમઉદયમાં લાવવામાં નિમિત્ત બને છે. ૩ ૫ તાનું કરેલું કામ પતે તથા બીજા એમ ઉભય ભોગવે છે આ પ્રકાર પણ ઉપરના જેવો જ છે ફેર એટલે છે કે કર્મનું ફળ પિતાને પણ લાભદેખીતા લાભ આપે છે. એવા કેટલાક પુણ્ય અને પાપના ઉકયો છે કે જે પુણ્ય-પાપના ઉદયવાળ જીવ પોતે અને તેની સાથે સંકળાએલા સુખી-દુ:ખી થતા હોય છે. વિશ્વમાં આ પ્રકાર પણ સુલભ રીતે જોવામાં આવે છે. આનું સમાધાન પણ બીજા પ્રકારની જેમ સમજી શકાય એવું છે. ૪. પિતાનું કર્મ નથી પિતાને ઉપયોગી કે નથી બીજાને આ પ્રકારમાં કેટલાક તુચ્છ કર્મો આવે છે. બીજી રીતે જે કર્મ પ્રદેશમાત્રથી ભગવાઈ જાય છે તે કર્મ દેખીતી રીતે કશા ઉપયોગમાં આવેલું ગણાતું નથી પ્રથમ રીતે વન્ય કસુમ જેવું એ છે. બીજી રીતે વગર વરસે વિખરાઈ ગએલા વાદળ જેવું એ છે. કમ ભેગવવામાં વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ પ્રધાન ભાગ ભજવે છે. આ પાંચના સાગમ સિવાય કર્મને ભાગ થઈ શકતો નથી. કર્મનું અધ્યયન કરવા માટે ગ્રન્થ ઘણાં છે. તેનું કમસર અધ્યયન પરંપરાગત ચાલ્યું આવે છે. પ્રાથમિક ગ્રન્થથી લઈને ટચ સુધીના ગ્રન્થ છે. વ્યાકરણના અધ્યયનની જેમ આ અધ્યયન બે વિભાગમાં વહેચાએલુ છે, એક પ્રક્રિયા અનુસારી અને બીજી તકનુસારી. જેમ વ્યાકરણમાં કેટલાંક રૂપ-સાધનિકા આદિમાં કુશળ હોય છે તે કેટલાએકને એ વિષયમાં કચાશ હેાય છે પણ તેઓ વ્યાકરણના ઊંડા વિચારે કરી શકે છે, તે અંગેની ચર્ચા શાસ્ત્રાર્થ કરવામાં તેમને મજા આવે છે. એ પ્રમાણે કેટલાક કર્મની પ્રકૃતિએ તેના ગુણસ્થાનક આમચી બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા માગણી અનુસાર
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy