SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનભાઈના મનમાં ઉલ્લાસ મા ન હતા, અંતર હિલોળે હિંચતું હતું. સંવત ૧લ્લડના મહા માસની કૃષ્ણ દશમીના દિવસે માતા-પિતા વિગેરેની મમતા મહી સંસારના સર્વ બંધનેને ત્યાગ કરી સ્વજીવન પૂજ્ય તારશ્રીને અર્પણ કરી સંયમરાગી-બન્યા મેહનલાલ મટી મિાહત્યા” બન્યા અને ગુરુ પણ તેઓના ગુણ પ્રમાણે “ભક્તિવિજ્ય નામ અર્પણ કર્યું.. સિંહસમ સાવિવૃત્તિએ સ્વીકારેલ સંયમજીવનને સફળ કરવા શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. ગુરુકુળવાસમાં રહી ન્યાય વ્યાકરણ તથા સાહિત્યનો સુંદર અભ્યાસ કર્યો, જ્ઞાનાવરણયના પ્રબળ ક્ષાપશમે આગના ગંભીરતમ રહસ્યોના જ્ઞાતા બન્યા. મેહનીયકર્મના તીવ્ર ક્ષયાપશમે અહંકારને ઓગાળી નાખ્યો, સમતા અને સરળતા સુસાધ્ય બનાવી ઉત્તમતા અને ઉદારતાનું ઉદાહરણ બન્યા અલ્પ સમયમાં ચિય જાણી શ્રી ભગવતીજીના ચિગ કરાવી શ્રી સંઘની વિનતીથી આ, દેવ ૧૦૦૮ શ્રી વિજયવીરસુરીશ્વરજી મ. સાહેબે કપડવંજમાં મહત્સવપૂર્વક સં, ૧૯૫ ના અષાઢ સુદ બીજના દિવસે પૂજ્યશ્રીને ગણિત અર્પણ કરી, સુદ પાંચમના શુભ દિવસે પંન્યાસપદે વિભૂષિત કર્યા. શ્રી વર્ધમાનતપની ઓળી પ્રત્યેના તેઓશ્રીના ઉત્કટ અનુરાગે અનેક સ્થળે તેઓશ્રીના સદુપદેશથી શ્રી વર્ધમાનતપ આયંબીલ ખાતાની સ્થાપના થઈ. તેમ જ પૂજયશ્રીની છત્રછાયામાં અનેક છઠ્ઠી પાળતા સ ઉપધાન અને ઉદ્યાપન મહોત્સવ, શ્રી શાન્તિનાવ, અષ્ટોત્તરી સ્નાત્ર, ગ્રતારેપણ વિધિ, પ્રતિષ્ઠાવિધિ આદિ અનેક પ્રકારની ધર્મક્રિયાઓ અનેકશી થઇ. પૂજ્યશ્રીએ જીવનને તમય બનાવી દીધું. પન્યાસ પદવી પછી લાગલગાટ ૨૦ વર્ષ સુધી ઓછામાં ઓછા એકાસણા સુધીના તપ કર્યો અને ત્યારપછી પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી ઓછામાં ઓછો બીઆસણા સુધીના તપ કરી દેહનું દમન કરી આત્માને તપતેજથી આજસ્વી બનાવે તેઓશ્રીના વૈરાગ્ય તેજથી આકર્ષાયેલ અનેક ગામોના સંઘોએ તેઓશ્રીને આચાર્ય પદ સ્વીકારવા આગ્રહપૂર્વક વિનંતિ કરી, પરંતુ મહત્તાના મયૂરાસને બેસવા તેમનું મન કદાપિ તત્પર બનતું નહી. તેઓશ્રીને જવાબ માત્ર એક જ હતા કે “આ પદ માટે તે શાસનના મહાપ્રભાવક અને શાસનના સંરક્ષક મહામના મહાત્માએ જ યોગ્ય છે, હ એ પદ માટે યોગ્ય નથી. પણ તેઓશ્રીની નિરાશ સતાએ જ શ્રીસ જ્ઞમાં તેઓશ્રીની પદવી માટે અતિ આગ્રહ ઉભું કર્યું. અને શ્રીસંઘની ઇચ્છાને આધીન બનવું પડયુ, પૂ. આગમારક આ. ૧૦૦૮ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સાહેબે પાવન શણુંજય તીર્થની પુણ્યછાયામાં સં. ૧૯૦ર ના વૈ. સુ. ૪ શનિવારના શુભ દિવસે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ પૂજયશ્રીને પરમેષ્ઠિના મધ્યપદે પ્રસ્થાપિત કર્યા, દીધકાલીન સંયમ ધર્મના પરિપાલનથી ઉત્કટ બનેલ વૈરાગ્યભાવથી ભવસાગરમાં ભૂલા પડેલ ભવ્યાત્માઓને મેક્ષમાર્ગ બતાવવા જીવનના અકસમ વૈરાગ્ય ભાવના” નામે સુંદર પુસ્તકનું સર્જન કર્યું,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy