SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧ ] · wo ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાના છે. શાસ્ત્રકાર આચાર્ય ભગવાને આ પરમાગમની ગાથાએ ગાથાએ જે અનુભવસિદ્ધ પરમ સત્ય પેકાયુ છે તેના સાર આ પ્રમાણે છે હે જગતના જીવા ! તમારા મુખના એકમાત્ર ઉપાય પરમાત્મતત્ત્વના આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ ભૂમિકાએ તેમાં સમાય છે. પરમાત્મતત્ત્વના જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે, તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાએ પ્રગટ થાય છે અને પૂર્ણ આક્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધ પામી જીવ રાથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મતત્ત્વના આશ્રય જ સમ્યગ્દન છે, તે જ સમ્યજ્ઞાન છે, તે જ સમ્યક્ ચારિત્ર છે; તે જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલેાચના, પ્રાયશ્ચિત્ત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સ’યમ, તપ, સવર, નિર્જરા, ધમાઁ-શુક્લધ્યાન વગેરે બધુ ય છે. એવા એક પણ મેાક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મ તત્ત્વના આશ્રયથી અન્ય હાય પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય એવા ભાવેાને—વ્યવહારપ્રતિક્રમણ, વ્યવહારપ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવાને મામા કહેવામાં આવે છે તે તે કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. પરમાત્મતત્ત્વના મધ્યમ કોટિના અપરિપક્વ આશ્રય વખતે તે અપરિપક્વતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હાય છે તે અશુદ્ધિરૂપે અશ જ વ્યવહારપ્રતિક્રમણાદિ અનેક અનેક શુભ ત્રિકાત્મક ભાવારૂપે દેખાવ દે છે. તે અશુદ્ધિ-અંશ ખરેખર મેક્ષમાગ કેમ હાઈ શકે? * હુ ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું' એવી સાનુભવ શ્રદ્ધાપરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મતત્ત્વના આશ્રય, પરમાત્મતત્ત્વનુ આલબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ક, પરમાત્મતત્ત્વપ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સમુખતા, પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy