SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુવ્રત કવામિ ચરિત્ર | ૧૬૧ પજાવતી જેઠ વદ આઠમના દિવસે શ્રવણ નક્ષત્રમાં ફર્મના લાંછનવાળા, શ્યામકાંતિવાળા પુત્રને જન્મ પાપો. દેશે અને દિકકુમારિકાઓ જન્મ મહોત્સવ કર્યો. પિતાએ બાર દિવસ સુધી જન્મ મહોત્સવ કર્યા બાદ સારા મુહૂર્તે સુનિસુવ્રત એવું નામ રાખ્યું. કારણ કે ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતા સુનિ જેવાં સુત્રતા થયાં હતાં. યૌવનવય પામતાં પ્રવું વીશ ધનુષની કાયાવાળા થયા. અને માતાપિતાએ પ્રભાવતી વિગેરે અનેક રાજકન્યા સાથે પરણાવ્યા. આ પ્રભાવતીદેવીથી મુનિસુવ્રત સ્વામિને સુકત નામે રાજકુમાર થયો. ભગવાન જ્યારે સાડાસાત હજાર વર્ષની ઉંમરના થયા ત્યારે પિતાએ તેમને રાજ્યલાર પ્યો. ભગવાને પંદરહજાર વર્ષ સુધી પૃથ્વીનું પાલન કર્યું. તેવામાં “વામિન્ ! તીર્થ પ્રવર્તાની વિજ્ઞપ્તિ કાન્તિક દેવગે કરી. ભગવાને સુરતને રાજગાદી ઉપર બેસાડયો. સાંવત્સરિક દાન આપ્યું અને અપરાજિતા નાની શિબિકા ઉપર આરૂઢ થઈ નિલગુહા નામના ઉધાનમાં પધાર્યા. આભૂષણ વિગેરેને ત્યાગ કરી ફરાણુ શુદ બારસના દિવસે શ્રવજુનમાં હાજર રજાની સાથે છઠ તપૂર્વક ભગવાને દીક્ષા અગિકાર કરી. બીજે દિવસે રાજગૃહિ નગરમાં બ્રહ્મદર રાજાને ઘેર ક્ષીરાન્ન વડે પારણું કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં. અને પારણાસ્થાને બ્રહ્મદર રાજાએ રત્નપીડીકા કરાવી. ભગવાને ત્યાંથી અન્યત્ર વિહાર કરવાનું આરંહ્યું. છzસ્થપણે અગિયાર માસ સુધી વિહાર કર્યા બાદ ફરી ભગવાન નીલહા ઉદ્યાનમાં ઝાયા અને ચંપકવૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. અહિં તેમણે ફાગણ વદ બારસના દિવસે શ્રવણ નક્ષત્રમાં ઘાસિકમને ક્ષય કરી કેવળજ્ઞાન ઉપાસ્યું એ સમવસરણની રચના કરી. ભગવાન પૂર્વદ્યારે પેસી ચાલીશ ધનુષ્યના ઉંચા ચૈત્યદક્ષને પ્રદક્ષિણા કરી નમોતિચર કહી સિહાસન ઉપર આરૂઢ થયા. - ભગવાન સમવસર્યાના સમાચાર સાંભળી સુત્રત રાજ પરિવાર સહિત ત્યાં આવ્યો. અને ઈન્દ્રની પાછળ બેઠે. ઇસ્તુતિ કર્યા બાદ ભગવાને દેશના આરંભી, અને તે દેશનામાં માગનુસારી, શ્રાવક અને સાધુપણાને ઉપદેશ આપ્યો. દેશના સાંભળી કેટલાકે રીક્ષા. કેટલાકે શ્રાવકપણું અને કેટલાકે છુટા છુટા ત્રતનિયમો લીધા. મુનિસુવ્રત સ્વામિ ભગવાનને ઇન્દ્રાદિક દાર ગણધર થયા તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી અને પહેલી પિરિસી પૂર્ણ થયા બાદ ગણધર ભગવતે પાદપીઠ ઉપર બેસી દેશના આપી. તેમજ તે પૂર્ણ થતાં સૌ અવસ્થાને ગયા. - અનિવ્રત સ્વામિના શાસનમાં વરૂણ નામે ચલ શાસનદેવ તથા નરદત્તા નામે ક્ષિણી શાસનદેવી થઈ. વરૂણ પક્ષ ત્રણ નેત્રવાળે, ચાર સુખવાળે, શ્વેતવણુંવાળ, દા ધારી, વૃષભના વાહનવા, ચાર દક્ષિણ ભૂઝમાં બીજોરું, ગદા, બાપુ તથા શક્તિ ધારણ કરનાર તથા વામ ભૂજમાં નકુળ, અક્ષત્ર, ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર છે. તથા નરદત્તા ચક્ષિણી ગૌરવર્ણવાળી, ભદ્વાન ઉપર બેસનારી, બે દક્ષિણ ભૂજમાં વરદ અને અક્ષ સ તથા બે વામ ભૂજમાં બીરૂ અને ત્રિશુલ ધારણું કરનારી થઈ.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy