________________
[ ૧૧૮ ]
શ્રી કપૂરવિજયજી
૬. જીવિત સહુને વહાલુ છે એમ લક્ષ રાખી આજ્ઞાયુક્ત ચાત્રા કરવી લેખે થાય છે.
૭. સહુ સાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે દયા, સદ્ગુણી પ્રત્યે પ્રમાદ અને પાપી પ્રત્યે ઉપેક્ષા ભાવના રાખવાથી જ કરવામાં આવતી કરણી લેખે થઈ શકે છે.
૮. અનીતિને! સર્વથા ત્યાગ જ કરીને નીતિસેવન કરવાથી જ યાત્રા લેખે થાય છે.
૯. અનીતિવતનું મગજ ધર્મકરણીમાં ચાંટી શકતું નથી, તેથી જ નીતિની જરૂરિયાત છે.
૧૦. પ્રભુનાં આજ્ઞા-વચનને યથાશક્તિ અનુસરવાથી જ શ્રેય થઇ શકે છે.
૧૧. નિર્મળ તત્ત્વશ્રદ્ધા, આધ અને આચરણુવડે જ કલ્યાણ સાધી શકાય છે.
૧૨. ક્ષમા-નમ્રતા–સરલતા-સતેષ અને ઉદારતા આદરી, ધર્મ ચાગ્યતા મેળવવાથી મેાક્ષમાર્ગ સુલભ થાય છે. ચેાગ્યતા વગર વસ્તુધર્મની પ્રાપ્તિ થઇ શકે નહીં.
૧૩. પિવત્ર તીર્થને ભેટી કુસન માત્ર તજી દેવું અને ધર્મબ્યસન જ સેવવુ.
૧૪. જંગમતી સમા સદ્ગુણી સંત-મહાત્માદિનું સન્માન કરી દોષમાત્ર દૂર કરી દેવા. તેમની નિઃસ્વાર્થ હિતશિક્ષા પર લક્ષ દઈ જરૂર તેને અનુસરવુ.