________________
[ ૧૧૬ ]
શ્રી કપૂરવિજયજી ત્યારે તેમના મોટા ભાઈ નંદિવર્ધન માત-પિતાના તાજા વિરહદુ:ખની શાન્તિ માટે તેમને બીજા બે વર્ષ ગ્રહવાસમાં રહેવા વિનંતિ કરે છે. મહાવીર પોતાના વડીલ ભાઈની વિનંતિને કબૂલ રાખે છે અને એ રીતે વડીલ ભાઈ પ્રત્યે વિનીતભાવે વર્તવાનો દાખલે જગતની આગળ રજૂ કરે છે. ભાઈના આગ્રહથી બે વર્ષ ઘરમાં કોઈને પણ ભગવાન પિતાની જીવન-ચયને ત્યાગના રૂપમાં ફેરવી નાખે છે. ગૃહસ્થગ્ય વેષ–ભૂષણમાં રહી, તેઓ એ પ્રકારે સાધુજીવનની પદ્ધતિએ નિયમબદ્ધ રહે છે. તેમની આ ચય આપણને વાનપ્રસ્થાશ્રમને ખ્યાલ ઉત્પન્ન કરાવે છે. - ચારિત્રના ઉમેદવારે ચારિત્ર ગ્રહણ કરવા અગાઉ અમુક વખત સુધી ત્યાગ-ધર્મની પ્રેકિટસ કરવાની જરૂર છે. આ જ દષ્ટિબિંદુ ઉપર ત્રીજા વાનપ્રસ્થાશ્રમનું વિધાન છે, અર્થાત્ ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વ ત્યાગધર્મની અભ્યાસ–પદ્ધતિ આ એક કસોટી છે. અને એ માર્ગે જીવનને કેળવીને પછી ચારિત્રમંદિરમાં પ્રવેશ કરે એ બહુ સરસ રીતિ છે. જો કે મહાવીર જેવા પુરુષાથી પુરુષને પહેલેથી કંઈ પ્રેકિટસ કરવાની જરૂર ન જ હોય, છતાં તેઓ દુનિયાને બોધપાઠ શિખવવા ખાતર સ્વયં પોતાના આચરણથી તેવો દાખલો રજૂ કરે છે, કેમકે તેઓ જગતના-માનવધર્મના એક મહાન અને શ્રેષ્ઠ આદર્શરૂપ છે.
૩૦ વર્ષની ઉમરે મહાવીર દીક્ષા–સંન્યાસ ગ્રહણ કરે છે. મહાવીરના ચારિત્ર-ધર્મની ઉગ્રતા સંસારમાં સુપ્રસિદ્ધ છે. સમકાલીન મહાત્મા બુદ્ધ વગેરે અન્ય તીથિકેએ પણ તેમને “દીર્ઘ તપસ્વી'તરીકે વર્ણવ્યા છે. સત્યની શેધ પાછળ ખાવુંપીવું મૂકી