________________
૧૨૪
તત્વાર્થસૂત્ર વસ્તુ કાયા વિના જ દરેક સ્થાને પ્રવેશ કરે છે, જેમ હપિંડમાં અગ્નિ.
– પછી સૂક્ષ્મ હોવાથી વૈક્રિય અને આહારક પણ અપ્રતિઘાતી છે એમ કહેવું જોઈએ?
ઉ–અવશ્ય. તે પણ પ્રતિઘાત વિના પ્રવેશ કરી શકે છે, પરંતુ અહીયાં અપ્રતિવાતને અર્થ લેકાંતપર્યત અવ્યાહત – અખલિત –ગતિ છે. વૈક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે, પરંતુ તેજસ અને કાશ્મણની માફક આખા લેકમાં અવ્યાહત ગતિવાળાં નથી, કિંતુ એકના ખાસ ભાગ- સનાડી –માં અવ્યાહત ગતિવાળા છે. - તેજસ અને કાર્મણને સંબંધ આત્માની સાથે પ્રવાહ જેવો અનાદિ છે, તે પહેલાં ત્રણ શરીરને નથી; કેમ કે એ ત્રણે શરીરે અમુક સમય પછી કાયમ રહી શક્તાં નથી. એથી ઔદારિક આદિ ત્રણ શરીર કદાચિક–અસ્થાયી સંબંધવાળાં–કહેવાય છે; અને તૈજસ, કાર્મણ અનાદિ સંબંધવાળાં.
પ્ર---જે તેમને જીવની સાથે અનાદિ સંબંધ છે, તે પછી એમને અભાવ કદી પણ ન થવો જોઈએ.
ઉ––ઉપરનાં બને શરીરે વ્યક્તિની અપેક્ષાએ નહિ, પરનું પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, એથી જ એમને પણ અપચય, ઉપચય થયા કરે છે. જે ભાવાત્મક પદાર્થ વ્યક્તિરૂપે અનાદિ હોય, તે જ નાશ નથી પામત. જેમ કેઃ પરમાણુ.
તેજસ અને કાશ્મણ શરીરને બધા સંસારીઓ ધારણ કરે છે; પરંતુ ઔદારિક, વૈક્રિય અને આહારને નહિ. એથી