________________
અક્યાય ૧-સૂત્ર ૧૬ ઉ –સહેતુક છે. સૂત્રમાં કહેલા ક્રમથી એમ સૂચિત કરવામા આવે છે કે, જે કમ સૂત્રમાં કહ્યો છે, એ ક્રમથી અવગ્રહ આદિની ઉત્પત્તિ થાય છે [૧૫]
હવે અવગ્રહ આદિના ભેદ કહે છે: बहुबहुविधक्षिप्रा निश्रितासंदिग्धध्रुवाणां सेतराणाम् ॥१६॥
સેતર (પ્રતિપક્ષસહિત) એવાં બહુ, બહુવિધ, ક્ષિક, અનિશ્ચિત, અસંદિગ્ધ અને ધ્રુવનાં અવગ્રહ, ઈહા, અવાય, અને ધારણા રૂપ મતિજ્ઞાન હોય છે.
પાંચ ઈદ્રિય અને એક મન એ છ સાધનોથી થનાર મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા આદિ રૂપથી જે વીશ ભેદ થાય છે, તે બધા ક્ષપશમ અને વિષયની વિવિધતાથી બાર બાર જાતના થાય છે. જેમ કે: બહુગ્રાહી છ અવગ્રહ છ ઈહા છ અવાય છ ધારણ અલ્પગ્રાહી બહુવિધગ્રાહી એકવિધગ્રાહી ક્ષિકગ્રાહી અક્ષિપ્રગ્રાહી અનિશ્રિતગ્રાહી નિશ્રિતગ્રાહી અસંદિગ્ધગ્રાહી સદિગ્ધગ્રાહી કુંવગ્રાહી અદ્ભવગ્રાહી