________________
૧૪
.
જપ-રહસ્ય.
દષ્ટિએ સાચા હોવા છતાં એકંદર ખાટા છે અને ખાલી માથું પકવી રહ્યા છે, માટે મહેરબાની કરી તમારા રસ્તે સીધાવો.”
- આંધળાઓ તે મહાવતની આ વાત સાંભળીને ચૂપ જ થઈ ગયા અને બેલ્યા ચાલ્યા વિના પિતાના રસ્તે પડયા.
- આ પરથી એમ સમજવાનું છે કે ભગવાનનું સ્વરૂપ જેને જે રીતે સમજાયું, તેણે તે રીતે વર્ણવ્યું છે અને તેનું નામકરણ એ પ્રમાણે કર્યું છે. તેમાં આ વધારે સારું કે આ ખરાબ એવું કહી શકાય એમ નથી.