________________
[૫] નમસ્કારમંત્રને અદ્ભુત મહિમા
નમસ્કારમંત્રને મહિમા અદ્ભુત છે. વધારે સ્પષ્ટ કહીએ તે અપાર છે. “તેના મહિમાને નહિ પાર” એ શબ્દો વડે આ વસ્તુ સૂચિત થાય છે. આવા અપાર મહિમાનું - વર્ણન અતિ મર્યાદિત શક્તિશાળી વૈખરી વાણીથી શી રીતે કરવું ? એ એક મુંઝવનારે પ્રશ્ન છે. આમ છતાં “શુભ કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરે એ ન્યાયે અહીં નમસ્કાર મંત્રના અદ્ભુત મહિમા સંબંધી કેટલુંક વર્ણન કરીશું.
મલ્લધારીય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે “ઉપદેશમાલા અપરનામ પુછપમાલામાં કહ્યું છે કે
हरइ दुहं कुणइ मुहं, जणइ जसं सोसए भवसमुई । इहलोय पारलोइय, सुहाण मूलं नमोकारो ॥
ખને હરે છે, સુખને કરે છે, ચશને ઉત્પન્ન કરે છે અને ભવસમુદ્રનું શોષણ કરે છે. વિશેષ શું? આ લેક અને પરલેકનાં સઘળાં સુખનું મૂલ નમસ્કાર છે.