________________
૬
નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે. નમસ્કારમંત્ર ભણી પાણીની અંજલિ છાંટી કે ઝેર ઉતરી ગયું અને તેની પુત્રી બચી જવા પામી. નમસ્કારમંત્રને આ કે અચિંત્ય પ્રભાવ !
કેન્સરને વ્યાધિ મટો થોડા વર્ષ પહેલાં જામનગરના એક જૈન ગૃહસ્થને કેન્સરને વ્યાધિ લાગુ પડ હતું. તે અંગે કેટલાક ઉપચાર કર્યો, પણ તેમાં કંઈ સફલતા મળી નહિ. આખરે તેમણે નમસ્કારમંત્રને આશ્રય લીધે અને તેનું સતત સ્મરણ કરવા માંડ્યું. આથી તેમને વ્યાધિ મટી ગયે. આ હકીક્ત અમદાવાદથી પ્રગટ થતાં દિવ્યદર્શન નામના સાપ્તાહિકમાં પ્રકટ થઈ હતી.
અમારી સુલોચના નામની યુવાન પુત્રીને કેન્સરને રેગ લાગુ પડયે હતું અને ધીમે ધીમે તેણે જાલીમ રૂ૫ પકડ્યું હતું. વેદના અપાર થતી હતી, તે વખતે અમે નમસ્કારમંત્રાદિયુક્ત શાસ્ત્રસ્વાધ્યાય અને પ્રાર્થના ચાલુ કરતાં તેને ઘણુંજ શાંતિ મળી હતી. જ્યાં સુધી આ શાસ્વાધ્યાય તથા પ્રાર્થના ચાલતી, ત્યાં સુધી તેની વેદના શાંત થઈ જતી. આખરે નમસ્કારમંત્રનું સ્મરણ વધતાં તેને સર્વ વસ્તુઓ પરથી મેહ ઉતરી ગયા હતા અને તેના મુખમાંથી છેવટના શબ્દો પણ અરિહંત! અરિહંતા જ નીકળ્યા હતા.૪
તાત્પર્ય કે નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે, તેથી તેના મરણમાં જરા પણ પ્રમાદ કરે નહિ.
* આ પુત્રીને સ્વર્ગવાસ બત્રીસ વર્ષની ઉંમરે સં. ૨૦૨૨ ના ફાગણવદિ ૭ના રિજ થયો હતો.