________________
જીતી આવેલા સુનિ અહીં ઈર્ષ્યાને જીતી ન શક્યા. એમને લાગ્યું કે વેશ્યાને ત્યાં ચોમાસું કરવામાં દુષ્કર-દુષ્કર કારકતા શી ? બીજે ચોમાસે ગુરૂની ના છતાં ઉપકેશાને ત્યાં ચોમાસું કરવા ઉપડા ! ત્યાં એ કાળની રાજામહારાજાઓમાં પ્રસિદ્ધ સૌદર્યવાળી વેશ્યાને વગર શણગારે પણ જોતાં મુનિ ઢીલાઢચ ! એમના પર કામવાસના ચઢી બેઠી ! વેક્યા આગળ ભેગની પ્રાર્થના કરે છે. વેશ્યા કશાની બેન છે, એટલે સમજી ગઈ કે “આમ તો સ્કૂલભદ્રજીને ઈર્ષ્યાથી આ ચાળે કરવા આવ્યા હશે, પણ આમના શા ગજા? હવે એ કેવળ શિખામણથી માગે નહિ આવે. એમને તો જરા ચમત્કાર દેખાડવો જોઈએ.” એમ વિચારી કહે છે કે “મહારાજ! અમે તે વેશ્યા, નાણાં વિના અમારો માલ ન મળે. પિલા દીન બની કહે છે, “પણ હું પૈસા ક્યાંથી લાવું? વેશ્યા કહે “જાઓ, નેપાળ દેશના રાજા નવા સંતને રત્નકાંબલ ભેટ આપે છે તે લઈ આવો.” મુનિ ઉપડયા નેપાળ! લઈને પાછા વળતાં જંગલમાં ચોર લૂંટવા આવ્યા. એમને દીનતાથી પગે પડી પિતાની સ્થિતિ દયામણું ભાષામાં કહી, દયા માગે છે. ઈર્ષ્યાએ ક્યાં પહોંચાડ્યો ? શુદ્ર યાચના, વિષય
ભરતિ, દીનતા ઈત્યાદિ કેટે વળગ્યા. ચોરોએ દયાથી છેડ્યા. રત્નકાંબલ લાવીને વેશ્યાને દેતાં કહે છે ” લે હવે તો નાણું પહોંચ્યું ને? વેશ્યાએ સવા લાખ રૂપિયાની કાંબલ લઈ સીધી ખાળમાં જ નાખી ? મુનિ ગભરાઈ જઈ કહે છે, અરે ! અરે ! આ તું શું કરે ? કેટલી ત્રાસ મુશ્કેલીથી આ હું લાવ્યો છું ! તે તને ખબર છે ?” બસ, લાગ જોઈ વેશ્યા આંખ ચડાવી કહે છે, “અરે ત્યારે તમને ભાન છે કે ગુરુએ આખા જગતની