________________
૧૪
શાસ્ત્ર–શ્રવણ કરાય, એની પ્રાપ્તિ માટે ઉપાય જાય, ઈત્યાદિ કરતાં કરતાં જીવનમાં એ ધર્મગુણનો સ્વીકાર યાને ધર્મગુણ. પ્રાપ્ત થાય, એ બીજનું ફળ આવ્યું કહેવાય.
આ ગુણબીજ ખરેખર પાપપ્રતિઘાત કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. એમાં જેવી રીતે પાપપ્રતિઘાતમાં અશુભ અનુબંધના આશ્રવ અટકાવવામાં આવે છે, તેવી રીતે શુભ અનુબંધવાળા કમ ઊભા થાય છે. આમ તો પ્રતિસમય કર્મોને બંધ ચાલુ જ છે. પરંતુ તીવ્ર મિથ્યાત્વ કષાયાવેશ વગેરે શાંત પડી ગયા હોવાથી એના સ્થાને ચિત્તમાં શુભ ભાવ પ્રગટ થાય છે; અને એથી શુભ અનુબંધ એટલે કે શુભ કર્મની પરંપરા ચાલે એવી સ્થિતિ ઊભી થાય છે. એને પુણ્યાનુબંધી કર્મ કહી શકાય. એના વિપાક વખતે આત્મામાં એવા તાત્ર મિથ્યાત્વ, કષાયાવેશ વગેરે નહિ હોવાથી ધર્મગુણની રુચિ ઊભી થાય છે.
સારાંશ - ગુણબીજાધાન કરવાની લાલસા હોય તે એ પ્રાણાતિપાત-વિરમણ આદિ ગુણનું પહેલાં તો આકર્ષણ એવું ઊભું કરવું જોઈએ કે જીવનમાં ધર્મગુણ એજ ઉપાદેય લાગે, એજ કર્તવ્ય અને હિતરૂપ લાગે, એજ પ્રાપ્ત કરવા ચિગ્ય લાગે, અને હિંસા અસત્ય વગેરે અકર્તવ્ય સમજાય. એમાંથી ધર્મગુણની એ શ્રદ્ધા ઊભી થાય છે કે એ ધર્મગુણેની પ્રાપ્તિથી જ જીવન ધન્ય લાગે, એ ધર્મગુણે જ સારભૂત લાગે. આ શ્રદ્ધારૂપ બીજ એ સમ્યકત્વ છે. એમાં મોક્ષની રુચિ છે, તત્ત્વને આગ્રહ છે, પરિણતિજ્ઞાન છે. આ