________________
કહેલા પદાર્થ વસ્તુગત્યા એવી જ રીતે એટલે કે એ જ ક્રમથી , પ્રગટ થાય છે. તે આ રીતે કે પાપને પ્રતિઘાત કર્યા વિના ગુણબી જાધાન થતું નથી, અને..ગુણબીજાધાન થયા વિના વસ્તુતઃ ધર્મગુણ ઉપરના શ્રદ્ધાપરિણામને અંકુર ફુટતો નથી; અને તે ન થાય તો સાધુધર્મની પરિભાવના અશક્ય છે. ત્યારે સાધુધર્મની પરિભાવના ન કરેલાને દીક્ષા લેવાની વિધિ આદરવાને હક નથી. આમ દીક્ષા ન લીધી, તો તેના પાલનને પ્રયત્ન ક્યાં રહ્યો? દીક્ષાનું પાલન ન કરે તેને દીક્ષાનું ફળ મેક્ષ કયાંથી મળે? મળે જ નહિ.
આ ક્રમ જાળવવાને બદલે જે કોઈ માણસ પાછલા સૂત્રની વસ્તુ દા. ત. સાધુ-ધર્મની પરિભાવના અગર પ્રવ્રજ્યા વગેરે પહેલી જ ઉપાડે અને પૂર્વનાં પગથિયાં ન રચે, તો એ યથેચ્છ તફડંચી કહેવાય. એમાં કાંઈ વાસ્તવિક ગુણ નહિ, આત્માની ઉત્ક્રાંતિ નહિ. તેથી મોક્ષ સિદ્ધ ન થાય. માટે અહીં કહ્યું કે પાંચસૂત્રના ક્રમે જ વસ્તુ પ્રાપ્ત થાય.
આ પાપપ્રતિઘાત કરીને ધર્મગુણનાં બીજનું આધાન કરવાનું છે. અહીં ગુણ તરીકે પ્રાણાતિપાતવિરતિ આદિ છે. અર્થાત્ જીવહિંસા, અસત્ય વગેરે દેષ-દુષ્ક ઉપર સહેજ અરુચિ, અપક્ષપાત, દ્વેષ, વગેરે થઈને હવે એને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ થાય તે ગુણ. એમાં પણ સ્વર્ગીય સુખ વગેરેની આશંસાથી જ આ હિંસાદિત્યાગ આદરાય, એની કશી કિંમત નહિ. એ કાંઈ ગુણરૂપ નથી. એમાં તો ભૌતિક સુખ-સિદ્ધિ