________________
માટે તૈયાર થવા આદેશ કર્યો. અઠ્ઠાણુ ગુસ્સે થઈ ગયા અને લડી લેવાનું ધારીને પ્રભુ પાસે ભારતની અન્યાયી માગણી પર ફરિયાદ કરવા અને પોતાને ન્યાયી પક્ષવાળા તરીકે લેખાવવા ગયા. તે વખતે આ વીતરાગ સર્વજ્ઞ જગદયાળુ પરમાત્માએ એમને કે અદ્દભુત બોધ આપે ! એ કહે–
“મહાનુભાવ! તમે ભૂલા કયાં પડ્યા ? ભરતને દુશ્મન સમજે છે ? દુશ્મન તો તમારા અંતરમાં બેઠેલા વિષય-તૃષ્ણ અને અભિમાન આદિ કષા છે. વિરાટ પૃથ્વી પર એક નાનકડા જમીનના ટૂકડાની રાજ્ય–સંપત્તિ પર તમને રાગ અને “અમે એના વ્યાજબી હકદાર” એવું મમત્વ અભિમાન જે ન હેત, તે ભરતને દુશ્મન શું કામ દેખત? ભરત એ ઝુંટવીને તમારો પરલોક બગાડે જ એવો નિયમ નથી. જ્યારે આ તૃષ્ણા અર્હત્વ આદિ આંતર શત્રુઓ તે પરલોક નિશ્ચિત બગાડે છે માટે હે નરવીરો! બહારના કહેવાતા દુશ્મન જેવા કરતાં અંદરના ભયંકર દુશ્મન જુઓ. કષાયથી આપણો આત્મા અનંત કાળથી સળગી રહ્યો છે. એવા કષાની ભયંકર આગ બુઝ. રાજ્ય-લક્ષ્મી અને માન-પાનના પલે પડી અનંતા આત્મધનને કાં ગુમાવો ? આ મહા મૂલ્યવાન અને અતિ દુર્લભ માનવભવ વિષય-ઘેલછામાં તથા કષાયના આવેશમાં બરબાદ કરી નાખી, જાતને અને બીજાને અનંત ભવસાગરમાં ડૂબાડવા માટે નથી, પરંતુ આતર શત્રુઓ અને જુના કર્મના બંધન તોડીને અનાદિ અનંત કાળથી ચાલી આવેલી ભવપરંપરાને કાયમી અંત લાવવા માટે છે! અનંત