________________
૪૮૦
[ પંચસૂત્ર-૪ સર્વ-નિવૃત્તિ થઈ સર્વનષ્ટ થયું, ત્યાં અન્વય કોને ?
દા ત સેનાના કડામાંથી કુંડલ બનાવ્યાં. ત્યાં ખરી રીતે તે કડામાંનું સુવર્ણ દ્રવ્ય કાયમ રહી કુંડલમાં ઉતરે છે, અર્થાત્ એજ અનબ્દ સુવર્ણના કુંડલ બને છે. તેથી કડામાં દેખાતા કેટલાક ધર્મો–પીળું રૂપ, અમુક ટચ, કઠીન સ્પર્શ, વગેરે સુવર્ણરૂપી આધારને લઈને કુંડલમાં ઊતરે છે. પરંતુ જે કડાની ઉપર કોઈ રસાયણ પ્રોગ થવાથી તે ભમ બની ગયું હોત, તો હવે સુવર્ણ જ નહિ હોવાથી પીળું રૂપ વગેરેના અન્વયનો પ્રસંગ જ નહિ ઊભું થાત. બૌધ્ધમતે તે, જે આમે ય કડું બીજી ક્ષણે સર્વથા નિવૃત્ત થવા છતા એનું પીળું રૂપ વગેરે પછીના કુંડલ દ્રવ્યમાં અન્વિત થઈ શકે છે, તે ભસ્મમાં કેમ અન્વિત ન થાય?
પ્રા–એમ તો તમારા સાધાર અન્વયવાદની અપેક્ષાએ, રમમાં દેખાતા વિલક્ષણ ધર્મોને ક્યાંથી અન્વય થયો?
ઉ૦-કડાની અવસ્થામાં સુવર્ણ દ્રવ્યની જેમ, એજ સુવર્ણની અવસ્થામાં સૂક્ષ્મ અણુ દ્રવ્ય છે, તે કાયમ રહી ભરમમાં ઉતરે છે. તેથી તેના ધર્મોને અન્વય થાય છે.
આથી, તમે તે નિરાધાર અને અનન્વય–સ્વભાવ નિાગથી હઠાગ્રહથી જ જે લીધે, એ સૂચવે છે કે એ તર્કસિદ્ધ નથી. કેમકે વસ્તુસ્વરૂપે પૂર્વોત્તર ક્ષણમાં એક આધારભૂત દ્રવ્ય છે જ. નહિતર, “આ કારણનું આ કાર્ય એ શબ્દોને કેઈ જ અર્થ જ ન રહે જેવું ચમક્ષણે થતુ સર્વથા નષ્ટ થવાનું વિચાર્યું, તેવું પ્રથમ ક્ષણે સર્વથા અસની ઉત્પત્તિ અંગે વિચારવું બને વિચારણામાં એકાંત પર્યાયવાદીને ઉપર કહેલા અનેક દુષણે લાગુ થાય છે. તેથી નિષ્કર્ષ આ નીકળે છે,–
=૪,